SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું ? આપણે જુદા થતા હોત તો બે ભાગ પડત, પણ આપણે તો પુત્રોને વહેંચણી કરી આપીએ છીએ. માટે ચાર સરખા ભાગ કરો અને પુત્રોને સરખા વહેંચો તો જ મને સુખ થાય.” એમ કહી, રઘુએ પોતે જ ચાર ભાગ વહેંચી આપ્યા ! ૬૪૮. ભાષાની ભવ્યતા કિ દ્ધરાજ જયસિંહના શૈશવની આ વાત છે. સિદ્ધરાજના પિતા કર્ણદેવ તો જ એને ત્રણ વર્ષનો મૂકી ગુજરી ગયા હતા. અનુશાસન એની મા મીનળદેવી ચલાવતાં હતાં. સિદ્ધરાજ નાનો હતો પણ એની પ્રતિભાની ખ્યાતિ દૂર દૂર દિલ્હી સુધી પહોંચી હતી. દિલ્હીના સમ્રાટે મીનળદેવીને કહેવડાવ્યું : “તમારો પુત્ર મોટો થયો છે. એને દિલ્હીના દરબારમાં હાજરી આપવા મોકલો.” મીનળદેવીને ચિંતા થઈ. એણે એને ઘણીબધી શિખામણ આપવા માંડી ત્યારે સિદ્ધરાજે પૂછ્યું : “તમે શિખવાડો છો તે સિવાયનું કંઈક ત્યાં આવી પડે તો તમને પૂછવા કેમ આવું તે મને કહો !” આ માર્મિક ઉત્તરથી મા પ્રસન્ન થઈ. દિલ્હી દરબારમાં વિનય અને સભ્યતાથી પ્રવેશ કરી સિદ્ધરાજે સૌનાં મન જીતી લીધાં. એની પરીક્ષા કરવા સમ્રાટે એના બંને હાથ મજબૂત પકડીને પૂછ્યું : “બોલ, હવે તું શું કરીશ ?' હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યા જ વિના જ સ્મિત કરી સિદ્ધરાજે કહ્યું : આ દેશમાં વર કન્યાને એક હાથથી પકડે છે તો એને જિંદગીભર નિભાવે છે, એના યોગક્ષેમની જવાબદારી લે છે; આપે તો મને બંને હાથથી પકડ્યો છે, હવે મારે ચિન્તા શી ? આજથી હું નિશ્ચિત થયો !” આથી પ્રસન્ન થયેલા સમ્રાટે એનું સન્માન કરી એને વિદાય આપી. ૬૪૯. શબ્દોથી મુક્તિ બ્દોનું રટણ એટલું બધું વધ્યું છે કે એના અર્થના ઊંડાણમાં ઊતરવાનો હતો અવકાશ જ મળતો નથી. ઉચ્ચાર અને આચાર વચ્ચે સમજણનું સંગીત હોય તો આ જીવન જ સ્વર્ગ બની જાત. પછી બીજા સ્વર્ગની તૃષ્ણામાં દોડવું ન પડત. કણમાં મણ ૪ ૩૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy