SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૯. ભૂષણ કે દૂષણ ? નની વાણી ચિન્તનથી સભર હોય છે. એ જેમ તેમ વ્યર્થ વાક્યો ન A. ઉચ્ચારે. એની નાની શી વાતમાં પણ જીવનનું દર્શન હોય છે. એક જિજ્ઞાસુએ જ્ઞાનીને નમન કરી પૂછ્યું : ‘આ દેહમાં ઉત્તમ અંગ ક્યાં ?'' મધુર ઉત્તર મળ્યો : ‘“અંતઃકરણ અને જિા. કરુણાથી પૂર્ણ અંતઃક૨ણ અને સત્યના નિવાસવાળી જિહ્વા એ દેહમાં ઉત્તમ અંગ છે.'' “તો પછી, આ દેહમાં અધમ અંગ કયાં ?'' જિજ્ઞાસુએ ફરી પ્રશ્ન કર્યો. એ જ સહજતાથી જ્ઞાનીએ ઉત્તર વાળ્યો : “અંતઃકરણ અને જિહ્વા.'' ૐ ? હમણાં તમે જેને ઉત્તમ કહ્યાં તે જ અધમ ?'' જિજ્ઞાસુએ આશ્ચર્યપૂર્વક પ્રશ્ન કર્યો. “હા, જે અંતઃકરણમાં હિંસા, ક્રૂરતા વાસ કરે છે અને જે જીભ પર અસત્યનો નિવાસ છે તે અધમ છે. ક્રૂરતા અને અસત્યને કારણે ભૂષણ પણ દૂષણ બને. ૬૪૦, ધૂળ પર ધૂળ મ અને સંતોષથી જીવન જીવતાં આ નર-નારીને મન સંસાર એ ભોગનો મેં ખાધો નહિ પણ ત્યાગનો બગીચો હતો. નરે કર્મ અને ધર્મનો મર્મ સમજાવી નારીને નારાયણી બનાવી હતી. નારીએ ભક્તિ અને સેવાનો પાઠ પઢાવી નરને નારાયણ બનાવ્યો હતો. એકદા બંને જણ પ્રવાસે જઈ રહ્યાં હતાં. નરે માર્ગમાં સોનાનો હાર જોયો. એને મનમાં થયું : ૨ખે આને જોઈ સ્ત્રીનું મન ચળે ! એટલે એણે એના પર ધૂળ ઢાંકી. પાછળ ચાલી આવતી નારીની ચકોર આંખ આ જોઈ ગઈ. આગળ જતાં વિસામો આવ્યો ત્યાં સ્ત્રીએ પૂછ્યું : “માર્ગમાં શું કરતા હતા ?'' ‘સુવર્ણ જોઈ ૨ખે કોઈનું મન ચળે એમ લાગતાં એને ધૂળથી ઢાંક્યું.” નિઃસ્પૃહ નારીએ કહ્યું : “પરધન હજુ તમને સુવર્ણ લાગે છે ? એમ કહોને ધૂળની ઉપર ધૂળ નાખતો હતો !'' Jain Education International ૩૩૪ ! મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy