SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૫. પ્રેમપરાગ જા ને અહીં મોકલતા પહેલાં તે કહ્યું હતું : “માગી લે. પ્રેમ જોઈએ કે - સૌન્દર્ય ? એક મળશે, બે નહિ.” મેં મારા અંતરના આદેશ પ્રમાણે પ્રેમ માંગ્યો. તે વેળા તેં સ્મિત કર્યું અને હું દ્વિધામાં પડ્યો : રખે મારી માગણી મૂર્ખાઈભરી ઠરે. પણ હવે આજ હું મારી જાતને ધન્યવાદથી વધાવું છું, કારણ કે મેં સહજભાવે માંગ્યું હતું તે જ સત્ય નીવડ્યું. અત્યારે મારા દ્વારે સૌન્દર્ય આંટા મારી રહ્યું છે. હું દ્વાર ખોલવા ઊભો થયો ત્યાં પ્રેમે કહ્યું : “જરા ધી થા, દ્વાર ખોલવાની કંઈ જરૂર નથી. એ તો મારું જ બાહ્ય અંગ છે. હું અંદર હોઉં છું ત્યારે એ દ્વાર પર ઊભું રહે છે.” ઓહ ! હવે સમજાયું. સૌન્દર્ય એ તો પ્રેમપુષ્પનો જ પરાગ છે. પ્રેમની નજર જ વસ્તુને વિશિષ્ટ અને સૌન્દર્યમય બનાવે છે. સૌન્દર્ય પ્રેમનો જ દ્વારપાળ છે. ૬૩૬. દિલનું દાન કે લસંકટ ને અતિવૃષ્ટિના સમયનો આ પ્રસંગ છે. ગામના લોકો એક ભાઈને ત્યાં ગયા અને એને ફાળામાં સો રૂપિયા ભરવા વીનવ્યો પણ એણે એક જ વાત પકડી : મારે તો એકાવન જ ભરવા છે. સાંજે સહુ ભેગા થયા ત્યારે વાતો ચાલી. “આ માણસ કેવો કંજૂસ ! આટલો પૈસાદાર હોવા છતાં પૂરા સો પણ ન આપ્યા !'' એની ટીકા, નિંદા ચાલી. ત્યાં એક વૃદ્ધ પ્રકાશ પાથર્યો : “ભાઈ ! માણસને પૂરેપૂરો સમજ્યા વિના ટીકા ન કર. એને દાનનો સોદો નામ મેળવવા નહોતો કરવો. બાકી સવારે છાપામાં જેની વાત આવી છે તે અનામી રહીને રૂપિયા એકત્રીસ હજાર દિનાર તે આ ભાઈ પોતે જ.” સાચું દાન અંતરના આનંદ માટે છે; એને નામની ઝંખના નથી હોતી. પૈસા આપી જેમ વસ્તુ ખરીદીએ તેમ દાન આપી પ્રતિષ્ઠા, કીર્તિ કે નામના મળવીએ એ કાંઈ દાન નથી. દાનમાં વ્યાપારી બુદ્ધિ ભળતાં, દૂધમાં તેજાબ મળતાં જે હાલ દૂધની થાય છે તેવી જ દાનની થાય. ૩૩૨ ૪ મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy