SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનદીપકનો પ્રકાશ જ વધુ ઉપયોગી થાય. ભ્રમ અને બ્રહ્મની વિવેકદ્રષ્ટિ વિધિમંત્રોથી નહિ, પણ જ્ઞાનથી જ ખીલે છે. ૬૩૧. ક્રૂરતાની પરાકાષ્ઠા સિત હનું બચ્ચું ગુફામાંથી બહાર આવ્યું ત્યાં તેણે એક તલવારોથી મોટું લશ્કર જતાં જોયું. બંદૂક અને તલવારોથી સજ્જ થયેલા આ માણસોને જોઈને ગભરાઈ ગયું. એ ધ્રૂજતું ધ્રૂજતું અંદર આવ્યું. એની મા આરામ કરતી હતી. એની હૂંફમાં એ સંતાવા લાગ્યું. માએ પૂછ્યું : “બેટા, તું સિંહબાળ થઈ ધ્રૂજે છે ! તું તો વનરાજ છો. તારે કોઈથી ડરવાનું હોય ?'' “પણ મા, બહાર તો જો.'' સિંહણે ગુફાના દ્વારા તરફ જોયું તો લશ્કર કૂચ કરી રહ્યું હતું. “રે, આ તો એમના જ જાતભાઈને મારવા જઈ રહ્યા છે ! વિશ્વમાં માણસ જ એક એવું ક્રૂર પાણી છે જે પોતાની જ જાતનાં ભાઈબહેનોને દેશ, ધર્મ, ભાષા અને પ્રાંતને નામે આમ કતલ કરતું આવ્યું છે !'' ૬૩૨. કુદરતનો જવાબ કા નો કુંભાર મસ્ત હતો. એની આજીવિકાનું સાધન એનો એક ગધેડો હતો. એને મજૂરીએ લઈ જાય, બે રૂપિયા મળે એટલે એ મસ્ત. સંતોષમાં સુખી. એની સામે જ એક ધાંચી ૨હે. એ જેવો લોભિયો એવો જ ઈર્ષાળુ. એને આ મસ્ત કુંભારની ઈર્ષ્યા બાળ્યા જ કરે. એક દિવસ ઘાંચીએ નમાજમાં પ્રાર્થના કરી : ‘ખુદા ! કુંભારના આ ગધેડાને ઉપાડી લે જેથી એની અકડાઈ ઓછી થાય.'' બીજે જ દિવસે એની પ્રાર્થના ફળી ! ઘાંચીનો જ બળદ મરી ગયો ! ઘાંચીએ ખુદાની અજ્ઞાનતા પર અફસોસ કરતાં પોતાની પત્નીને કહ્યું : “ખુદા આટલા દિવસથી ખુદાઈ કરે છે પણ ગધેડા કે બળદને પારખી શકતો નથી. મેં ગધેડા માટે કહ્યું ત્યારે એણે બળદ માર્યો. માણસ બીજાને માટે જે ઇચ્છે છે તે પાછું આવે તો પોતાને નથી ગમતું. Jain Education International ܀ ૩૩૦ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy