SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળ્યા છો કે કોઈને ખર્ચમાં ઉતારવા ? લો, આ તમારો તવો. મારે એ ન જોઈએ. તમને એમ કે ભાઈને મદદ કરતા જઈએ, પણ શ્રમ વિનાનું સોનું લઈએ તો સોના જેવી શુદ્ધ બુદ્ધિ પછી તવા જેવી કાળી થઈ જતાં કંઈ વાર લાગે ? આજે અતિથિનું સ્વાગત કરવા તૈયું જે ઝંખના કરે છે, પછી તે ઝંખના રહે ? એક વાર મફતનું લેવાની આદત પડ્યા પછી માણસ જીવનભર મફતનું જ શોધતો ફરે છે. પછી તે ધનકુબેર થઈ જાય તોય એને આપવાનું નહિ, લેવાનું જ સૂઝે.' સિદ્ધપુરુષે પુનિયાને નમન કરી કહ્યું: ‘મેં વિદ્યા સાધવામાં વર્ષોનાં વર્ષો ગાળ્યાં, પણ સાચી વિદ્યા તો તમે જ મેળવી છે. હું ઘણાં તીર્થે જઈ ઘણી નદીઓમાં સ્નાન કરી આવ્યો, પણ મારો આત્મા તો અહીં જ નિર્મળો થયો છે. હવે તો હું એક જ માગું: જે સંતોષને પામીને તમે આ સુવર્ણને પણ ધૂળ ગણ્યું, તે સંતોષનું મને શરણ હો !' ૬૦૯. બલિ ગુ જરાતના પ્રતાપી સિંહાસન પર આરૂઢ થયેલા રાજર્ષિ કુમારપાળના અંગેઅંગમાં અહિંસાની ભાવના રમી રહી હતી. હિંસાના અંધકારથી ત્રસિત બનેલા જગત પર અહિંસાનો પ્રકાશ લાવવાનું એને સ્વપ્ન લાધ્યું હતું. એને આ સ્વપ્ન આપનાર કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર હતા. આ સ્વપ્નદ્રષ્ટાના ચીંધેલા માર્ગે કુમારપાળ ખૂબ જ ધૈર્ય ને શ્રદ્ધાથી આગળ વધી રહ્યા હતા. અહિંસાનો પ્રથમ પ્રયોગ એણે ગુજરાત ને સૌરાષ્ટ્ર પર કર્યો. આ પ્રયોગના પ્રતાપે જ્યારે અંગ, બંગ ને કલિંગમાં બ્રાહ્મણો પણ માંસાહાર કરતા, ત્યારે અહીંના નીચલા થરના માણસો પણ માંસનું નામ આવતાં ધૃણા બતાવતા. આ હવા ધીમે ધીમે રાજપૂતાના સુધી જામતી ગઈ. અહિંસાનો પ્રકાશ નીચેના થરને પણ સ્પર્શી રહ્યો. એ દિવસોમાં ગુર્જરેશ્વરના કુટુમ્બમાં જ એક સમસ્યા ઊભી થઈ. કુમારપાળની કુળદેવી કંટેશ્વરી આગળ વર્ષોથી નવરાત્રિના સાતમ, આઠમ અને નોમના દિવસે સેંકડો પશુઓનો બલિ અપાતો. બકરાં અને પાડાઓનો આ અર્ધ્ય બંધ કેમ કરાય ? અને બંધ થાય તો દેવીનો કોપ જાગે. માતાજીનો વાર્ષિક ઉત્સવ-દિન જેમ નજીક આવતો ગયો, તેમ ક્ષત્રિયોનાં મન મૂંઝાવા લાગ્યાં. ચૌલુક્યક્ષત્રિયો માતાજીની પ્રસન્નતાથી જેટલા નિર્ભય હતા, એટલા જ એમના કોપથી ભયભીત હતા. એમની દૃઢ માન્યતા હતી: Jain Education International બિંદુમાં સિંધુ ૩૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy