SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ન મળે. અતિથિ-સત્કાર તો એનો જ. એક દિવસ પોતે ઉપવાસ કરી અતિથિને પ્રેમથી જમાડે, ને બીજે દિવસે એની પત્ની ઉપવાસ કરી અતિથિને સત્કારે. એની મૂડી જુઓ તો સાડા બાર દોકડા. રોકડા નહિ હો; દોકડા ! માત્ર બે આના. પણ એ બે આના આજના નહિ, ભગવાન વર્ધમાનના યુગના ! એને ત્યાં એક દિવસ એક વિદ્યાસિદ્ધ અતિથિ આવ્યા. પૂર્ણિમાનો દિવસ હતો અને પુનિયાને ઉપવાસ હતો. એણે સાધર્મિકની પ્રેમથી ભક્તિ કરી. જમતાં જમતાં મહેમાને ઘરમાં નજર કરી તો ઘરના ચારે ખૂણે અગિયારસ. માટીથી લીંપેલા સાદા ઘરમાં સ્વચ્છતા અને જમવાના થાળી-વાટકા સિવાય બીજું કાંઈ ના મળે. સિદ્ધપુરુષ વિચારી રહ્યા: “વાહ ! દુનિયામાં પુનિયાની નામના છે, જ્યારે ઘરમાં તો કાંઈ કહેતાં કાંઈ ના મળે; પણ એના હૈયામાં કેટલું બધું ભરેલું છે ! આવી સ્થિતિમાં પણ જમાડીને જમે છે ! ઉપવાસ કરીને પણ સ્વાગત કરે છે ! પુનિયા, તેં તો કમાલ કરી !' સિદ્ધપુરુષને થયું કે મારી પાસે સિદ્ધિ છે, શક્તિ છે, તો કાંઈક એને મદદ કરતો જાઉં. આજ રાતે વાત. પૂનમની રૂપાળી ચાંદની આંગણામાં પથરાઈ હતી. પુનિયો મીઠી નિદ્રા માણી રહ્યો હતો, કારણ કે એને ન હતો ચોરનો ભય કે ન હતો રાજાનો ભય. એ તો અબધૂતોના અભય સામ્રાજ્યનો નાગરિક હતો ! સિદ્ધપુરુષ ઊભા થયા, રસોડામાં ગયા, એમણે લોખંડનો તવો લીધો ને પોતાની ઝોળીમાં રહેલો પારસમણિ કાઢી પેલા લોખંડના તવાને અડાડ્યો. લોખંડનો તવો સાવ સોનાનો થઈ ગયો. સવારે ઊઠી સિદ્ધપુરુષે કાશી ભણી પ્રયાણ આદર્યું. પ્રભાતે પુનિયાએ જોયું તો પોતાનો તવો જ ન મળે. ચૂલા પાસે રહેલા કાળા તવાને બદલે સુવર્ણનો તવો સૂર્યનાં સોનેરી કિરણોમાં ચમકી રહ્યો હતો. પુનિયાએ નિસાસો નાખ્યો. એનાથી બોલાઈ ગયું : અતિથિ ! તમે તો જુલમ કર્યો. તમે તો ચમત્કાર કરી ગયા, પણ મારે નવા તવાનો ખર્ચ કાઢવો ક્યાંથી ? તમારો આ સોનાનો તવો મારે શું કામનો ? શાસ્ત્રોમાં કહ્યું છે: શ્રમ વિના મેળવેલું ધન ધૂળ કરતાંય કનિષ્ઠ ! વખત વીતી ગયો. જુદાં જુદાં તીર્થોની યાત્રા કરી સિદ્ધપુરુષ ફરી રાજગૃહીમાં આવ્યા, અને પુનિયાના જ મહેમાન બન્યા. બપોરે ભોજન પત્યા પછી અતિથિએ પોતાના પ્રવાસની મીઠી મીઠી વાતો કહી. પ્રવાસકથા પૂર્ણ થતાં છાણાં અને લાકડાના ઢગલા વચ્ચે છૂપાવેલો સોનાનો તવો કાઢીને સિદ્ધપુરુષને આપતાં પુનિયાએ કહ્યું : “તમે યાત્રા કરવા ૩૧૨ ઃ મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy