SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮. હાથે કરીને હેરાન રાજગૃહની શેરીઓમાં તો જાણે સરિતાઓ ફરવા નીકળી હતી. વર્ષોની આ રંગલીલા નિહાળતા મગધપતિ બિંબિસાર ને મહારાણી ચેલણા મહેલના ઝરૂખામાં બેઠાં હતાં. ચારે બાજુ અંધકાર જામ્યો હતો. માણસના કાળજાને કંપાવી નાંખે એવી ગર્જનાઓ થઈ રહી હતી. ક્યાંય કંઈ દેખાતું ન હતું. નગરને અંધકાર ગળી ગયો હતો, માત્ર વીજળી ઝબકતી ત્યારે જ દુનિયાના અસ્તિત્વનો ખ્યાલ આવતો. કડાકા સાથે એક વીજળી ઝબૂકી અને એના પ્રકાશમાં થોડે દૂર, ઘૂંટણ સુધીના પાણીમાંથી લાકડાં ખેંચતા એક વૃદ્ધને રાણી ચેલણાએ જોયો. એ ચમકી. આવા ટાણે મજૂરી ! ‘મહારાજ ! જોયુને આપનું કલ્યાણરાજ ! એક બાજુ વૈભવની છોળો ઊછળી રહી છે, જ્યારે બીજી બાજુ પેટ માટે માત્ર પેટ ભરવા માટે – આવા વરસાદમાં માણસને કાળી મજૂરી કરવી પડે છે ! આ તે કલ્યાણરાજ્ય કે કાળરાજ્ય !' મગધરાજ આમાં કંઈ ન સમજ્યા. એમણે કંઈ જ જોયું નહોતું : ‘રાણી ! તમે શું કહો છો ? અત્યારે કેવો માણસ અને કેવી મજૂરી ?' ત્યાં તો ફરી વીજળી ચમકી. બંનેની નજર ઢીંચણ સુધીના પાણીમાં શ્રમ કરતો વૃદ્ધ નજરે પડ્યો. મગધરાજ વાત સમજી ગયા. આજ્ઞા કરી : ‘રે, કોઈ છે હાજર !' દ્વારપાળે આવી નમન કર્યું. – જાઓ, નદીકિનારા પર રહેલા પેલા માણસને બોલાવી લાવો.' દૂર આંગળી ચીંધતાં રાજા બિંબિસારે કહ્યું, થોડી વારમાં દ્વારપાળ સાથે એક માણસ આવતો દેખાયો. કછોટો મારેલા, જીર્ણ શરીરવાળા, લજ્જા ઢાંકવા માત્ર લંગોટી પહેરેલા, આશાથી ઊંડી ઊતરેલી આંખવાળા આ વૃદ્ધ પર પ્રાસાદની સુવર્ણદીપિકાઓનો પ્રકાશ પડી રહ્યો હતો. રાજા શ્રેણિકે પૂછ્યું : ‘આયુષ્યમાન ! તું કોણ છો ? શું તારા ઉદર પૂરતું અન્ન પણ તારે ઘેર નથી કે આમ અકાળે શ્રમ ક૨વા નીકળ્યો છે ?' વૃદ્ધે સભ્યતાથી નમન કરતાં કહ્યું : ‘હું ? હું તો અકિંચન મમ્મણ છું. મારે ઘેર અન્ન તો પૂરતું છે, એ ઉપરાંત બે સુંદર વૃષભ છે, એનાં Jain Education International ૨૭૮ * મધુસંચય ... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy