SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્ત થાય છે. એમને જોઈ બાળકો ઘેલાં થાય છે. નિર્દોષ બાળકોને જોઈ પોતે ઘેલા થાય છે. બાળકોએ હાથ ધર્યા એટલે સૌને એક એક સાંઠો આપી, માત્ર એક સાંઠો લઈ એમણે ઘરના આંગણામાં પગ મૂક્યો. આંગણામાં ઊભેલી એમની ક્રોધમુખી પત્ની આ જોઈ સળગી ઊઠી. એ મનમાં બબડી : “આની દાનવીરતા તો જુઓ ! ઘરમાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.” ત્યાં તુકારામે સાંઠો એના હાથમાં મૂક્યો. પત્નીએ શેરડીનો તિરસ્કાર કરી કહ્યું : “કો આને ઉકરડે ! ફૂલણજી થઈ બધાય સાંઠા છોકરાઓને વહેંચ્યા, તેમ આનેય આપી દેવો હતો ને ? આને અહીં શું કરવા લાગ્યા !” એમ કહી ક્રોધના આવેશમાં ભાન ભૂલેલી એણે સાંઠો પતિના બરડામાં ફટકાર્યો ! ચોટ તો એવી લાગી કે સાંઠાના બે કકડા થઈ ગયા. છતાં મીઠું હાસ્ય કરી તુકારામે કહ્યું : “જાણતો જ હતો કે મને મૂકીને તું એકલી તો નહિ જ ખાય. તું તો અધગના કહેવાય. મને અર્ધો ભાગ આપ્યા વિના તું ખાય ખરી ? અધગનાનો ધર્મ તેં બરાબર પાળ્યો છે !” એમ કહી એક ટુકડો મોંમાં મૂકી એ બાળકની જેમ રસ ચૂસવા લાગ્યા. આ જોઈ એમનાં પત્નીની આંખમાં આંસુ આવી ગયાં. કહ્યું છે ને, તિરસ્કારને પ્રેમથી જીતો. લોહીથી ખરડાયેલાં કપડાં લોહીથી નહિ, પણ પાણીથી શુદ્ધ થાય, તેમ તિરસ્કારનો પ્રતિકાર ક્રોધથી નહિ, પણ પ્રેમથી થાય. તલવાર સામે ઢાલ, અગ્નિ સામે પાણી, તેમ તિરસ્કાર સાથે પ્રેમ ! ૫૮૭. ભગવાન વર્ધમાનનાં વચનો वोच्छिन्द सिणेहमप्पाणो कुमुयं सारहयं व पाणियं से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमाये ।। રદઋતુનું કુમુદ જેમ કીચડને ત્યજી પાણીની ઉપર આવે છે, તેમ તારા મન પર ચોંટેલા મોહને છોડીને તું અધ્ધર આવ. હે ગૌતમ ! એક પળનો પ્રમાદ મા કર ! બિંદુમાં સિંધુ ૨૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy