SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨. શ્રદ્ધા સાચું બળ દ્વા એ અપૂર્વ બળ છે. શ્રદ્ધાળુ હૈયાને વિપત્તિના ઘનઘોર અંધકારમાં પણ Àઆશાનો પ્રકાશ મળતો હોય છે. નિસીમ શ્રદ્ધાને આ વિશ્વનું કોઈ પણ કાર્ય અસાધ્ય નથી. ગુર્જરેશ્વર કુમારપાળને એકદા અનિવાર્ય રીતે સમરાંગણમાં ઊતરવું પડ્યું. કારણ એ હતું કે શાકંભરીના પૂરણરાયે ગુજરાતની સુકુમાર સંસ્કૃતિનું ભયંકર અપમાન કર્યું હતું. ગુર્જરેશ્વરને મન આ ધર્મયુદ્ધ હતું. પોતાના ધર્મ ને સંસ્કૃતિના અપમાનનો આ પ્રતીકાર હતો. આમાં હારે તો ગુજરાતની અસ્મિતા હણાય, એટલે અપૂર્વ જુસ્સા ને ઝનૂનથી એ લડી રહ્યા હતા. તલવારો વીંઝાણી, ભાલાઓ ચમક્યા, માથાં રાહુની જેમ ઊડવા લાગ્યાં અને પાણીને સ્થાને શોણિતની સરિતા વહેવા લાગી. સામા પક્ષને તરત ખબડ પડી ગઈ કે, ઘોડાઓને પાણી ગાળીને પાનાર ને પૂંજણીથી પૂજનાર આ રાજાનું પરાક્રમ કોઈ અજબ ! સામા પક્ષે ભેદનીતિ આદરી. કુમારપાળના સૈન્યને ફોડી નાખ્યું. સૌ ખૂટલ બન્યા. સૈન્ય ધીમે ધીમે પીછેહઠ કરવા લાગ્યું. એટલામાં સંધ્યાનો સમય થયો. સાંજે આવશ્યક ક્રિયા કર્યા વિના આ રાજર્ષિ કેમ રહી શકે ? એમણે મહાવત સામું જોયું. રાજાના ધર્મપ્રેમને જાણનારા વૃદ્ધ મહાવતનાં નયનમાં નીર આવ્યાં : ‘પ્રભો ! અત્યારે ઘણા ખૂટલ થયા છે. જીવસટોસટની આ ઘડી છે. કોણ ક્યાંથી ઘા ક૨શે એ કહેવાય તેમ નથી. ધર્મ-કર્મ રાજમહેલમાં હોય, સમરાંગણમાં તો યુદ્ધ !' ગુર્જરેશ્વરનાં નયનોમાં શ્રદ્ધાનો દીપ જલી રહ્યો હતો : એમણે કહ્યું : ‘મહાવત ! આ તો ધર્મયુદ્ધ છે. નાના જંતુનું રક્ષણ ક૨ના૨ મેં, માણસ સામે તલવાર ઉપાડી છે. કારણ એટલું જ કે અપરાધીને શિક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે ! ભય પામીને ધર્મને મૂકે તે કાયર ! સાચો ક્ષત્રિય કાયર કેમ હોઈ શકે ? હાર-જીત તો જીવનનાં બે પાસાં છે. મને એનો ભય નથી. હું તો આવશ્યક કરીશ જ.' હાથીની અંબાડી પર એમણે સાંધ્ય પ્રાર્થના શાન્તચિત્તે કરી, અને પુનઃ ભાલું સંભાળ્યું. આહ ! પછી તો શું એમનામાં બળ આવ્યું છે ! મહાચક્રની જેમ ઘૂમતા ભાલાને સૌ જોઈ જ રહ્યા. એમની શ્રદ્ધાએ સૈન્યમાં શ્રદ્ધા આણી. ખૂટલ થઈ પાપના માર્ગે જતા સૈનિકોનાં હૈયાંમાં કર્તવ્યધર્મની રેખા પ્રગટી. Jain Education International બિંદુમાં સિંધુ ૨૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy