SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ રહો. તમે એ આપી આવવાનું તો કહો છો, પણ મને એ કેટલાં ગમે છે ? મારું મન એમાં કેટલું રમે છે, એ તમે જાણો છો ? કેવાં સુંદર એ રત્નકંકણ છે ! એનો ઘાટ, એની ઝીણી ઝીણી કારીગરી, જેની જોડ ન જડે ! અને એનાં રત્નો પણ કેવાં તેજસ્વી છે ? નાથ, મને તો એ પાછાં આપવાનું જ મન નથી થતું. મનમાં થાય છે, રાખી લઉં. પછી થવાનું હશે તે થશે. કજિયો તો કજિયો !” આટલું કહેતાં કહેતાં તો સુમતિનું હૃદય ભરાઈ આવ્યું. એની પાસે જ્ઞાન હતું, છતાં વિષાદ કાંઈ ઓછો ન હતો ! પણ આજે તને થયું છે શું ? તું પાગલ તો નથી થઈ ને ! અરે, તું આ શું બોલી રહી છે ? જે વસ્તુ પારકી છે, તે કેટલા દિવસ ૨ખાય ? એના પર મમતા કરવી, એને પોતાની માનવી અને “મારી’ કહી શોક કરવો એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? પારકી વસ્તુ તો જેમ વહેલી અપાય તેમ સારું.' શિખામણ આપતાં આત્મારામે કહ્યું. સુમતિ ઊભી થઈ. એણે પતિને હાથ ઝાલ્યો. એનો હાથ ધ્રૂજતો હતો. એને તમ્મર આવી રહ્યાં હતાં. એની છાતી પર ભાર હતો પણ શ્રમણ ભગવાન મહાવીરના જ્ઞાનના બોલ એના આત્માને આશ્વાસન આપી રહ્યા હતા. એ પતિને અંદર દોરી ગઈ. ફૂલ જેવા પોતાનાં બે બાળકોના મૃતદેહ પર ઓઢાડેલું શ્વેત વસ્ત્ર એણે ઊંચકી લીધું અને જ્ઞાનના પ્રકાશથી પ્રબુદ્ધ બનેલી સુમતિએ કહ્યું. “નાથ ! આ આપણાં બે રત્નકંકણ, એક સોળ વર્ષનું, બીજું વીસ વર્ષનું. આજ સુધી આપણે એમને રાખ્યા, સાચવ્યા, પણ આજે એમનો સમય પૂરો થયો. અને એમનો એમણે માર્ગ લીધો. આપણે એમના ન હતાં, એ આપણા ન હતા. થોડા સમય માટે આપણને એ મળ્યા હતા, હવે એમને નિસર્ગના ખોળામાં શાંતિપૂર્વક ધરવા એ આપણું કર્તવ્ય છે. એની પાછળ શોક અને રુદન વ્યર્થ છે, ગયેલી વસ્તુ આંસુઓથી પણ પાછી વળતી નથી. મૌનની શાંતિમાં આપણે એમને વિદાય આપીએ.” આત્મારામ તો આ જોઈ ત્યાં જ ઢગલો થઈ ગયો. થોડી ક્ષણ માટે ત્યાં ગંભીર સ્તબ્ધતા છવાઈ ગઈ. ઘરમાં, હવામાં, વાતાવરણમાં બધે જ સ્તબ્ધતા હતી. અંતે એ પિતાની આંખમાં આંસુનું પૂર ધસી આવ્યું, એણે આંસુના પડદામાંથી જોયું તો સુમતિની આંખમાં પણ બે મોતી જેવાં આંસુ હતા : પણ એના પર જીવનની ઊંડી સમજણનાં ઉજ્વળ કિરણે પ્રકાશી રહ્યાં હતાં. ૨૬૪ મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy