SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનના અંતિમ ધામ પ્રતિ પ્રત્યેક યાત્રીએ એકલા જ સંચરવાનું છે. આપણે રહેવાસી નથી, પ્રવાસી છીએ. આપણું અંતિમ ધ્યેય આ સંસાર નથી, દૂર દૂરનો પ્રકાશ છે. માણસ જન્મે છે. જીવે છે, સાધના કરે છે અને છેલ્લે પ્રકાશને પામે છે. “સાધના કર્યા વિના માત્ર જે ભોગમાં અને રોગમાં જ મરે છે તે અજ્ઞાની મા, અમારો સ્નેહ તને જરાય નથી આકર્ષતો ?' કદી નહિ કલ્પેલું માનું વિરક્તિભર્યું દર્શન કર્યા પછી ગાંગેયે છેલ્લે પ્રશ્ન પૂછ્યો. કદાચ આકર્ષે, પણ જેને ભવિષ્યમાં પ્રવેશ કરવો છે તેણે ભૂતકાળનું આકર્ષણ તજવું રહ્યું. અને ગાંગેય, તને જ પૂછું. સ્નેહ અને સંબંધની સાંકળમાંથી છૂટા થયા વિના સિદ્ધિને શિખરે પહોંચાય ?' આ પ્રશ્નનો ઉત્તર વિકટ હતો. આ કોઈ સામાન્ય નારી ન હતી કે જેની સાથે જીભાજોડી કરી શકાય. વ્યથા અને વિયોગના મિશ્રણમાંથી પ્રગટેલી વિષાદમય છાયા પિતાપુત્રના મુખ પર છવાઈ ગઈ. વાતાવરણમાં મૌન અને સ્તબ્ધતા હતાં. ગંગાની આંખમાં કોઈ દિવ્ય તેજ ચમક્યું. મુખ પર પ્રસન્નતા પ્રસરી. એણે પતિની ચરણરજ લીધી અને પુત્રને આશીર્વાદ આપ્યા. પોતાના હૃદયના ટુકડા જેવા પ્રેમભીના પતિ અને પુત્રને મૂકી એ વનભણી ચાલી નીકળી. મહારાજ શાન્તનું અને ગાંગેયની આંખમાંથી દડદડ કરતાં આંસુનાં બે મોટાં બિન્દુ સરી પડ્યાં. એકલતાની પગદંડી પર ચાલી જતી આ મહાન નારીને જોતાં, પોતાની એકલતાથી કંટાળેલા ગગનમાં રહેલા સૂર્યને તે પળે જીવનનું દર્શન લાધ્યું. : ના, પ્રેમીના સાથમાં જ મઝા છે એમ નથી. સાથી વિના એકલા જીવન જીવવામાં પણ ખમીરભર્યું માધુર્ય રહેલું છે. સૂર્યે પણ તે દિવસે પોતાની સાધના ભરી એકલતાને ધન્યતાથી સત્કારી. ભવનું ભાતું ૨૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy