SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાત્તાપ થવા લાગ્યો. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. હવે શું ? પણ પેલા ટીખળી મકનાની સ્થિતિ જુદી હતી. એણે જ આ વાત વધારી હતી. વાતને રંગ આપી વિપરીત રીતે મૂકી હતી. નિર્દોષ આત્માને પાપી ઠરાવી, આત્મહત્યાને પંથે દોર્યો હતો. આ મૃત્યુથી એનું હાસ્ય ઊડી ગયું, રાત-દિવસ એને પૂનમચંદના જ વિચાર આવવા લાગ્યા. ધીમે ધીમે જાણે એને પૂનમચંદનું પ્રેત દેખાવા લાગ્યું. એ જાણે કહેતું હતું : ‘કહે, સાચું કહે, તેં મને ખરાબ કામ કરતાં જોયો હતો ? કહે, મેં તારું શું બગાડ્યું હતું ? તેં મને કેમ બદનામ કર્યો ? તેં જ મારા જીવની ઘોર ખોદી, તો જોઈ લે હવે મને દુ:ખી કરીને તું કેમ સુખી થાય છે તે ? હા...હા...હા...' રાતદિવસ વિચારોની આ ભૂતાવળ એની આસપાસ ફરતી. એ ઊંઘવા પ્રયત્ન કરતો, પણ ઊંઘ ઊડી જતી. આખી રાત ચારે બાજુથી ભણકારા વાગતા. પોતાની ભૂલનો ડંશ એને ડંખવા લાગ્યો. એ વલોવાઈ ગયો. એ આમથી તેમ સ્થાન બદલતો પણ આ વિચારોના ઓળા એની પાછળ પડ્યા હતા. એક સાંજે એનું મગજ આ ત્રાસથી ફટકી ગયું. અમારા ગામના તળાવની પાળે આ અર્ધનગ્ન પાગલ ફરે છે અને રાડો નાખે છે. ‘એય, મને માફ કરો. હું તમારું નામ પણ નહિ લઉં. મને છોડો. હું થાક્યો છું. મને ઊંઘવા દો...' Jain Education International ભવનું ભાતું * ૨૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy