SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ મામાની માનસિક યાતના અસહ્ય હતી. પોતાનું સત્ય સામાને સમજાવવા જેવું અત્યારે વાતાવરણ જ ન હતું. અને વાતાવરણ શાંત થયા પછી પોતાની વાતને બીજા આગળ રજૂ કરે એટલી ધીરજ એમની પાસે ન હતી. એ થાક્યા હતા, લથડીને એ ઢળી પડ્યા હતા. શુન્ય ઘરના શૂન્ય વાતાવરણથી એમની પ્રજ્ઞા પણ શૂન્ય થઈ ગઈ હતી. લથડતા હાથે એમણે કાગળ અને પેન હાથમાં લીધાં. પ્રિય મિત્રો, આ વંટોળિયા વચ્ચે મારી જ્યોત વધારે કાળ ટકી શકે એવી તાકાત આ દીપકમાં રહી નથી. “આ પ્રસંગમાં હું નિર્દોષ છું એટલું જ મારા આત્મદેવની સાક્ષીએ કહું છું. મને ખબર ન હતી કે ચંપા ઘરમાં પિરસણું આપવા આવી છે. નિત્યના ક્રમ પ્રમાણે મેં દ્વાર બંધ કર્યું. બારણું બંધ થતું જોઈ એણે બૂમ પાડી. એ ઘરમાં છે એની જાણ થતાં મેં તુરત જ બારણું ઉઘાડ્યું. મારે મૌન હતું. હું કંઈ જ ન બોલ્યો. બેન નિર્દોષ છે. હું અજ્ઞાત છું. પણ વાત વિપરીત રીતે રજૂ થઈ છે. મને કોઈ આવીને પૂછતું પણ નથી કે આ વાતમાં સત્ય શું છે ! અને કલંકકથા વધારે વિસ્તરતી જાય છે. મારાથી સહન થતું નથી. સહનશીલ બનાવનાર મારા આત્માની પાંખ આજે મારી પાસે છે નહિ. એટલે અધમચર્ચાની મલિનતાને ધોવા માટે ગજરાની મૃત્યુતિથિના મૌનવારે હું મારું બલિદાન આપું મૂળ, ભાણી એશે કે મારા આ બલિદાનથી એકાદ આત્માને પણ વાણીનો મહિમા સમજાશે તોય પૂરતું છે. વિદાય વેળાએ સૌજન્ય આંસુ સિવાય શું આપી શકે ? સૌનું કલ્યાણ હો. લિ. શાપિત પૂનમચંદની વિદાય' પત્ર લખી એણે કવરમાં મૂક્યો અને કવર પોતાના ઇષ્ટદેવના ચરણોમાં મૂકી, અશ્રુભીની આંખે નમન કરી, રાખેલ વિષેનો છલોછલ પ્યાલો એ ગટગટાવી ગયા. અવિચારી વાણીના પરિણામે આ સદાચારી અને સહૃદયી આત્માના બલિદાનથી આખુંય ગામ કમકમી ઊઠ્યું. આત્મહત્યા ! એક ભદ્ર અને આળા દિલના માનવીની આત્મહત્યા ! સર્વત્ર શોક ને દિલગીરીની છાયા ફરી વળી. સૌને પોતાની ભૂલ માટે ૨૩૨ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy