SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે તો એમ થાય છે કે તમારા સાંનિધ્યમાં જ રહું. તમારા આ વિશ્વવાત્સલ્યના પ્રકાશમાં વાયા જ કરું.... પણ શું તે મારે માટે શક્ય છે ? જીવનમાં ગતિમાન કરેલાં આ અનંત ચક્રો વચ્ચે નિત્યની આ શાંતિ શક્ય છે ?' નિત્ય ન બને તો કોઈક દિવસ તો શક્ય બને ને ?” ઘંટડી જેવો મધુર રણકાર કરતો પ્રભુનો બોલ પ્રગટ્યો. “હા, કોઈક દિવસ તો જરૂર બને. એવો કોઈ શ્રેષ્ઠ દિવસ ચીંધો, જે આપના કલ્યાણકની પાવન સ્મૃતિથી ભર્યો હોય, જીવનનું મંગળગાન જેમાં ગુંજતું હોય અને પોતાની પવિત્રતાથી અમારા આત્માને અજવાળતો હોય, વાતાવરણને ભાવનાથી ભરતા શ્રીકૃષ્ણે કહ્યું. શ્રીકૃષ્ણદેવ ! દિવસ તો બધા જ પ્રકાશપૂર્ણ છે; પણ કેટલાક દિવસ મહાપુરુષોના કલ્યાણકની પાવન સ્મૃતિથી સભર છે. એવા દિવસોમાં મૌન એકાદશીનો દિવસ શ્રેષ્ઠ છે. દોઢસો કલ્યાણકોથી એ દિવસ અંકિત છે. અને સુવ્રતશેઠ જેવા ભદ્ર આત્માએ પણ એ દિવસોમાં આત્માની મંગળ સાધના મૌન દ્વારા કરી છે.” બંસરીના મધુર સૂરને સતત ગુંજતો રાખતા શ્રીકૃષ્ણ મૌનની વાત આવતાં, સૌના મનમાં ઘૂંટાતો પ્રશ્ન પૂછ્યો : “પ્રભો ! આપ મૌનનું કહો છો, પણ મૌન તો ઘણી વાર અસહ્ય થઈ પડે છે. માનવી એકલો હોય, પડખે કોઈ બોલનાર ન હોય, નીરવતા છવાયેલી હોય, એમર્યાદ વિશાળતા પથરાયેલી હોય ત્યારે માનવી વાચા દ્વારા એ નીરવતાને ન ભરે, તો એમ લાગે કે આ અણદીઠ અગોચરની વિશાળતા હમણાં જ ભીંસી દેશે અને પોતાની મીનભરી વિશાળતામાં દબાવી દેશે. એવે વખતે માનવીએ કંઈ નહિ તો ગીત ગાઈને કે બંસીના સૂરોને ગુંજતા રાખીને પણ એ અવકાશને ભરવું જ રહ્યું અને ગંભીર મૌનની એ વિશાળતાને તોડી, અવાજોની દુનિયા સર્જવી રહી.” “કૃષ્ણદેવ ! હું પણ એ જ કહેવા માગું છું; માનવી એકલતાથી ગભરાય છે, કારણ કે એ વિશાળ એકલતાના મૌનમાં જ જીવનના ગૂઢ પ્રશ્ન એની સામે ઉપસ્થિત થાય છે. આજ સુધી જેની સામે આંખ મીચામણાં કર્યા હોય, જેને ઇન્દ્રિયોની લોલુપતાઓએ થોડી ક્ષણો માટે દૂર ધકેલ્યા હોય, તે સનાતન પ્રશ્ન એ નીરવતામાં, એ એકલતામાં, એ વિશાળતાના મૌનમાં સાકાર થાય છે અને મૂર્તિમંત થઈ જવાબ માગે છે. જીવન જીવતાં કયો હેતુ સિદ્ધ કર્યો, તેનો ગંભીરતાપૂર્વક એ ઉત્તર માંગે છે.” ભવનું ભાતું ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy