SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ખુશામત માણસને રિઝવવા કરવામાં આવતી ખુશામત તો મધુર દૂધમાં તેજાબ રેડવા બરાબર છે, એથી માણસ જામતો નથી, પણ ફાટે છે. ܀ ૧૪. સત્યનું પાત્ર સત્ય સૌને ગમે છે, પણ એને કટુતાના પાત્રમાં પીરસશું તો એને કોઈ નહિ ઝીલે. તમારે જો સત્ય જ પીરસવું હોય તો પ્રિયતાના પાત્રમાં પીરસો. એથી સત્યનો મહિમા ઘટશે નહિ, પણ વધશે. ܀ ૧૫. સંસ્કાર કુસંસ્કારોથી આત્મા ભારે થઈને અધોગામી બને છે; સુસંસ્કારોથી આત્મા હળવો બની ઊર્ધ્વગામી બને છે. ܀ ૧૬. ત્યાગમાં મુક્તિ જે ગ્રહણ કરે છે, તે દુ:ખી થાય છે; જે છોડે છે તે સુખી થાય છે. પરિગ્રહમાં બંધન છે. ત્યાગમાં મુક્તિ છે. Jain Education International ܀ ૧૭. પ્રેમ-પ્રતીકાર લોહીથી ખરડાયેલાં કપડાં લોહીથી નહિ, પણ પાણીથી શુદ્ધ થાય છે, તેમ તિરસ્કારનો પ્રતિકાર ક્રોધથી નહિ, પણ પ્રેમી જ થઈ શકે છે. ܀ ૧૮. સાચું દાન ધન હતું ત્યારે આપ્યું એમાં નવું શું કર્યું ? લોટામાં પાણી ન સમાય ત્યારે વધારાનું પાણી સૌ કાઢી નાખે. એ કંઈ દાન છે ? પણ જે પોતાના પીવાના પાણીમાંથી તરસ્યાને આપે છે, એનું નામ દાન છે. ܀ ૬ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy