SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાળાના હૈયામાં અસંખ્ય ભાવોની અત્યારે ભરતી આવી હતી. એનું હૃદયપાત્ર છલકાઈ રહ્યું હતું. પ્રભુના મહાભિગ્રહનો પોતાને જ મળેલો અપૂર્વ લાભ, માતાનો વિયોગ, માસીનો સંયોગ, ધનાવાહનું વાસ્તવ્ય, મૂળાએ પોતાના અપરાધ માટે ફરી ફરીને લળી લળીને માંગેલી ક્ષમા અને પોતાના મનમાં આ સંસારની રંગભૂમિ પ્રત્યે જાગેલી ઉદાસીનતા - આ બધા જ ભાવો એકસાથે ધસી આવ્યા. એ મૌન હતી. એની આંખો સ્થિર હતી. સૌને એ નમી અને રાણી મૃગાવતી સાથે રાજમહેલ ભણી ચાલી નીકળી. એ પ્રયાણ વખતે દિવ્યવાણી સંભળાઈ. આ પુણ્યવંતી બાળા ભગવાન મહાવીરના સંઘની પ્રથમ પ્રવર્તિની થશે અને નારીમુક્તિનું પ્રથમ મંગળગીત ગુંજશે. એક બાજુ રાજમહેલના રંગભર્યા આનંદ-ઉલ્લાસના વિલાસ હતા, બીજી બાજુ ચંદનાની તીવ્ર સંયમસાધના હતી. એક રીતે એની સાધનાની આ કસોટી હતી. જળમાં કમળ વસે એમ એ આ વાત વાતાવરણથી અલિપ્ત અને અધ્ધર હતી. એ અહીં રહેવા માટે નહોતી રહી. પણ પ્રભુ મહાવીરના કૈવલ્યની પ્રતીક્ષા કરતી દિવસો વિતાવી રહી હતી. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એમાં ચંદનાએ પ્રથમ દીક્ષા સ્વીકારી, સાધ્વીસંઘનું નેતૃત્વ સ્વીકાર્યું. આજ પણ જેના ત્યાગ, તપ અને સંયમને સંભારી માનવજાત જેને ચરણે નમે છે, તે સાધ્વી સંઘની ગંગોત્રી એટલે ચંદનબાળા. ૨૧૦ મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy