SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગનાં ભવ્ય વસ્ત્રોને રાગનો રંગ લાગ્યો. હવે આ ત્યાગનાં વસ્ત્રો કેમ શોભે ? અરણિકે એ મુનિવેષ ઉતારીને એક સ્મૃતિચિહ્ન તરીકે પાસેની સુવર્ણમંજૂષામાં મૂક્યો. અમિતા રૂપવતી ને યૌવનવંતી હતી, તેમ રસજ્ઞ પણ હતી. એને હાથે, ભાવનાના છોડ જેવો અરણિક ચડ્યો, જેની પાસે દિલની દુનિયા સિવાય કંઈ જ ન મળે. અમિતા અરણિકની નિર્દોષ જીવનલીલાથી વધારે આકર્ષાઈ. એમના મહિના દિવસ બન્યા, અને વર્ષો મહિના બન્યા. સ્વપ્નસૃષ્ટિની જેમ વર્ષો વીતવા લાગ્યાં. પ્રત્યેક ગ્રીષ્મમાં એમના મિલનનો એ યાદગાર દિન, બન્ને ખૂબ જ ઠાઠમાઠથી ઊજવતાં અને પ્રેમજ્યોતની ઉજ્વળતાના પ્રતીક રૂપે એમના ઉપવનમાં વૃક્ષોનાં – વેલીઓનાં પાંદડે પાંદડે દીપક પ્રગટાવતાં. એમનો સાંજનો કાર્યક્રમ ચોપાટનો હતો. નમેલા ઝરૂખામાં સુંદર કોમળ આસનો ગોઠવાતાં. ત્યાં તોફાન અને રમત વચ્ચે એમની બાજી ચગતી. વિશ્વને ભૂલી બન્ને એકબીજામાં રાચતાં. અરણિકની સૃષ્ટિ એટલે અમિતા. અમિતાને મન વિશ્વ એટલે અરણિક. બીજુ બધું જ જાણે શૂન્ય બન્યું હતું. [૨] પુત્રનું હૃદય ન સમજે તો તે મા કેમ કહેવાય ? દત્ત મુનિના સ્વર્ગવાસના સમાચાર મળતાં નાજુક હૈયાવાળા ભાવનાઘેલા અરણિકની શી દશા થઈ હશે, તેની કલ્પના ભદ્રા સાધ્વીને તરત આવી. ભદ્રા સાધ્વી થયાં હતાં, પણ એમનું માતૃહૃદય હજુ એવું જ ભાવભીનું હતું. એ પોતાની સાધના સાથે પુત્રના પ્રેમ અને શ્રેયની ચિંતા રાખતાં. સૂર્યની આસપાસ જેમ ગ્રહમંડળ ભમે, તેમ એ પણ પુત્રની આસપાસના ક્ષેત્રમાં વસતાં. એ ઉગ્ર વિહાર કરી ત્યાં આવી પહોચ્યાં, પણ અરણિકનો પત્તો જ ન મળે. અરણિકના સહાધ્યાયીએ કહ્યું : “દત્ત મુનિના સ્વર્ગવાસથી એના જીવન પર વિષાદ છવાયો હતો. ત્રણચાર દિવસ તો એણે ઉપવાસ કર્યા ! પછી એક દિવસ મધ્યાહુને ગયો તે ગયો. ખૂબ શોધ કરી પણ આજ પંદર દિવસ થયા એના કંઈ જ સમાચાર નથી, હવે તો અમે આગળ વધવાના છીએ.” ૧૯૬ * મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy