SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અમારો ધર્મ લૂંટવાનો અને તમારો ધર્મ આપવાનો. એટલે તમે અમારે સંગે ચડો તો તમે બગડો, અને અમે તમારે સંગે ચઢીએ તો અમારો રોટલો રઝળે. “છતાં તમારે વસ્તી જોઈતી હોય તો હું આપું, પણ એક શરતે. તમારે અમારી દુનિયામાં દખલ ન કરવી. મારા હાથ નીચે પાંચસો લૂંટારા છે. અમારો ધંધો છે : લૂંટ, ખૂન ને ચોરી. અમારા કોઈ પણ માણસને તમારે ધર્મનો ઉપદેશ ન આપવો. હું જાણું છું કે તમારો માર્ગ સાચો છો, સારો છે, પણ અમારા માટે નકામો છે. અહિંસા સ્વીકારીએ તો ખૂન કેમ થાય ? લૂંટ ન કરીએ તો પેટ કેમ ભરાય ? આપ અહીં ખુશીથી રહો, પણ શરત અમારી ધ્યાનમાં રાખજો. નહિ તો...” લૂંટારાની આ નિખાલસ વાત સાંભળી આચાર્યને આનંદ થયો. એનું વક્તવ્ય એટલું સ્પષ્ટ હતું ને છતાં કેટલી બધી સમજણથી ભરેલું હતું ? આચાર્યનું હૈયું લોભાયું. એમને થયું : હજારો બકરાંઓને બોધ આપવા કરતાં આ એક સિંહને પ્રતિબોધ્યો હોય તો કેવું સુંદર ? પણ એ પ્રતિબોધ પામે ખરો ? સાવ અસંભવ. અરે, જ્યાં ઉપદેશને સાંભળવાની જ ના પાડે છે, ત્યાં બોધની તો વાત જ શી કરવી ? છતાં હિંમતવાને શ્રદ્ધા ન ખોવી. આશા અમર છે. સાચા પુરુષાર્થીને કશુંય અશક્ય નથી. આચાર્યે એની વાત સ્વીકારી લીધી. ચારે બાજુ ઊંચા ઊંચા પર્વતોની દીવાલો હતી, અને એની વચ્ચે નાની નાની ટેકરીઓ પર કેટલીય છૂટીછવાઈ ઝૂંપડીઓ હતી. ઝૂંપડીમાં વસતો પ્રત્યેક માનવી કાળના અવતારસમો હતો. એનો શ્યામ રંગ, કાળી દાઢી, વળાંક લેતી મૂછો, કદાવર દેહ અને બુકાની બાંધેલું મોં જોતાં જ સામાન્ય માણસ તો છળી જતો. આ મહાકાળોની દુનિયામાં સાધુઓએ પોતાનું સ્થાન જમાવ્યું. નિસર્ગના આ શાન્ત વાતાવરણમાં સાધુઓ મૌનમાં મસ્ત રહેતા. આત્મસાધનામાં મગ્ન રહેતા. જ્યારે લૂંટનો માલ લઈ ચોરો આ સાધુઓની વસ્તી પાસેથી પસાર થતા ત્યારે ક્ષણભર તો એમના હૈયાના અંધારિયા આકાશમાં પણ ત્યાગની પ્રભા ઝગમગી જતી, પણ ચોરો એ પ્રકાશમાં વધારે ન થોભતા. એ પોતાના ઘોડાઓને આગળ દોડાવી મૂકતા ! ચોરો લૂંટવામાં મગ્ન હતા, સાધુઓ જપ-તપમાં મગ્ન હતા. ચાર મહિના વાયુના ઝકોરાની જેમ વહી ગયા. ગ્રીષ્મ ઋતુમાં નદીના કિનારા પરથી પસાર થતા માણસને પણ શીતળતાનો સ્પર્શ થાય છે, તો શું સાધુતાના કિનારા પર રહેલાને એની મૌનભરી શીતળતા ન સ્પર્શે ? ભવનું ભાતું * ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy