SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ તારું વિલાસ 4 મહિનામાં અગન કુમતિને જગાડીને એ કહે છે : “સખી ! મને ચેન નથી. આત્માનો આનંદ જોઈ હું અગનમાં જલી રહ્યો છું. તું તારું વિલાસી સંગીત છેડ, કે જેથી કરીને આત્માના આનંદમાં અગન પ્રગટે.” કમતિ પોતાના પ્રિયના આદેશથી કંઠમાં ને શરીરમાં માદકતાને મુકી ઉત્તેજક સૂર છેડે છે. એક જ રંગમહેલમાં બે ગાનારી : બંનેના સૂર જુદા; એક વિકાસપ્રધાન, બીજી વિકારપ્રધાન ! સુમતિ નિજાનંદના તાર પર સંયમનું ગીત છેડતી હોય છે, ત્યારે કુમતિ બહિર્ભાવના વિલાસી તાર પર વિકારનું ગીત ઝીંકે છે. આ રીતે વિરોધી સૂર ને ગીતો સામસામાં અથડાતાં સંગીતને લયની - મજા બગડી જાય છે. એમાંથી કર્કશતાપૂર્ણ કોલાહલનો ઘોર ધ્વનિ પ્રગટે છે. આ અવ્યવસ્થાથી આત્મા ને મન બંને કંટાળી જાય છે. એકને દુઃખ આપવા જતાં બંનેને દુઃખ મળે છે. એકેયને સુખ નહિ. આત્મા કંટાળીને દેવસાંનિધ્યમાં જવા પ્રયત્ન કરે છે, ત્યારે મન થાકીને વિલાસગૃહમાં જવા પ્રયત્ન કરે છે. અહીં આત્મા ને મન ખેંચતાણમાં ઊતરે છે. આ પ્રસંગે જ જીવનનું વિભાજન થાય છે. માણસના જીવનમાં મંથનની આ પળ અતિસૂચક છે. આ પળ એવી છે કે જેમાં બેમાંથી એકને પસંદગી આપવાની હોય છે : વૈરાગ્ય કાં વિલાસ; ત્યાગ કાં ભોગ; અમૃત કાં સુરા ! બંનેને એક જ સાથે મેળવવા પ્રયત્ન કરનારનું આવી પળે વિચારમૃત્યુ થાય છે ! ૪૮૫. વીતરાગ આ જ સૌને છોડી, એકલો બની, તારે દ્વારે આવ્યો; પણ તારું દ્વાર તો બંધ છે હૈયાના દેવ ! શું આ જ તારી શોભા ? હવે મારે ક્યાં જવું ? મજ અનાથનો આધાર તારું દ્વાર છે, મારા જીવનનો અંતિમ વિસામો તું જ છે; પણ આજે તો તુંય બદલાયો. રંગમહેલમાં આરામથી બેઠો બેઠો તું તો મળવાની પણ હા નથી કહેતો. ઓ અંતરના આધાર ભગવંત ! તારે દ્વારે ન આવું તો કોને દ્વારે જાઉં ? ગભરુ શિશુ માતાની સોડમાં ન સંતાય તો ક્યાં જાય ? મા ભલે બાળકને તરછોડે, કારણ કે એને તો બાળક અનેક છે - એને તો એકાદ કદરૂપા બાળક વિના ચાલે, પણ બાળકને જનેતા વિના કેમ ચાલે ? મા તો પોતાના કોઈ એક શિશુને ચૂમી કરી માતૃત્વને સંતોષશે; પણ શિશુ માતાને મૂકી કોની પાસે જાય ? પોતાના હૈયાની કૂણી લાગણીઓ કાલી કાલી ભાષામાં કોની ઊર્મિ અને ઉદધિ ઃ ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy