SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું સૂક્ષ્મ કલાવિજ્ઞાન માણસ ભૂલી ગયો છે ? એ સતત ભરવામાં જ સમજે છે, પચાવવામાં નહિ; અને તેથી જ તનની જેમ મનને પણ અપચાનો રોગ લાગ્યો છે. આટઆટલી પ્રાપ્તિ છતાં એ સ્વસ્થ અને મસ્ત નથી; બીમાર અને ઉદાસ છે. માણસના મનની આ દશા જોઈ કહેવાનું મન થાય છે : વીણાના તારની જેમ મનને પણ વ્યવસ્થિત રીતે બાંધી નહિ રાખો તો એમાંથી શાન્ત મધુર સ્વરલહરીભર્યું સંગીત પ્રગટવાને બદલે જીવનને શિથિલ કરતી વિરસતા જ જન્મશે. ૪૬૬. જ્ઞાન અને ગતિ 5મણે પૂછ્યું : “જ્ઞાન એટલે શું ?' મન, વચન અને કાયાની ગુપ્તિ લાવે તે જ્ઞાન. જ્ઞાનના પ્રકાશથી માણસ જાણી શકે છે કે મનને ક્યાં મોકલવું અને ક્યાં ન મોકલવું. જરૂર પડે ત્યાં મનનો ઉપયોગ થાય અને અનાવશ્યક લાગે ત્યારે મનને ગોપવી રાખે તે જ્ઞાન. જ્ઞાનનાં અજવાળાંથી જ સમજાય કે વચનનો વ્યાપાર ક્યાં કરવો. લાભ હોય ત્યાં વિવેકપૂર્વક બોલે અને નુકસાન જણાતાં વચનને ગોપવી રાખે તે જ્ઞાન. જ્ઞાનના તેજમાં જ કાયાની કરામત સમજાય છે. શ્રેયની સાધના માટે કાયા દ્વારા પ્રવૃત્તિ કરે અને કોઈને પીડા કે અંતરાયરૂપ થવાય છે એમ જણાતાં કાયાને નિવૃત્તિમાં ગોપવી રાખવાની પ્રેરણા આપે તે જ્ઞાન. મન, વચન અને કાયાની ગુપ્તિનું વિજ્ઞાન તે જ્ઞાન. ૪૭. મૃત્યુનું રહસ્ય છું કે કરુણાની વાત આવે ત્યારે તમારું હૃદય કુસુમ કરતાંય કોમળ અને ૦માખણથીય મૃદુ હોય; પણ મૃત્યુના વિચારે તો તમારું દિલ ખડક જેવું અડગ, વજ જેવું કઠોર હોય. મૃત્યુના વિચારને વિરતાથી ભેટો – હા, ભેટો જ. ત્યાં નમવાનું નથી, હારવાનું નથી. એમ કરવાથી કોઈ કંઈ છોડી દેતું નથી. માટે તમારી વીરતા જોઈ મૃત્યુ પણ તમને વંદે એવું ન કરો ? ૧૩૬ * મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy