SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ હું કબૂલ કરું છું કે સ્વપ્ન એ માનવીના મનની સર્જનસૃષ્ટિ છે અને ઇચ્છા એ મનની ઉમદા ભાવનાનું બીજ છે; પણ એકલા બીજથી પાક ઊતરતો નથી. બીજ ક્યારે ઊગે ? ખેડાણ થાય, પાણી મળે તો ને ? પુરુષાર્થની ખેતી કરો, ઇચ્છાનું બીજ રોપો, શ્રદ્ધાનું જળ સીંચો. પછી જોઈ લો; જીવનક્ષેત્ર પાકથી કેવું હર્યુંભર્યું બની જાય છે ! બીજની--સ્વપ્નની સિદ્ધિ સાધનાથી થાય છે, અને સાધના શુદ્ધિ માગે છે. ܀ ૪૫૮. પંથ જી વનને અંધકારથી ઢાંકી દેતી નિરાશા તારી આસપાસ છવાઈ ગઈ છે ? જીવન કટુ અને ભારરૂપ લાગે છે ? પણ એ વાત કદી ન ભૂલીશ કે પતનના પાયામાં પણ ઉત્થાન છે, પરાજયમાંથી જ જયનું બળ પ્રગટે છે, અને આપણી નબળાઈઓ અને ત્રુટિઓ કપરા પ્રસંગ દ્વારા દૂર થાય છે માણસ ફરીથી ઊભો થઈને હિંમતભેર આગળ વધે છે. હિંમત ન હારીશ; ધૈર્ય રાખજે. જીવન શું આપવા માગે છે તે આપણે જાણતા નથી. એનો રહસ્યભંડાર કોઈ અદ્ભુત છે. એ કાંઈ ક્ષણિક પ્રકાશનો ચમકાર નથી, પણ અંધકારમાંથી પ્રગટતા સૂર્યની એક યાતનામય યાત્રા છે. તું આ જ માર્ગમાં હાર્યા વિના આગળ વધજે. જીવન અને જગતને મીઠું બનાવવા માટે તારે વાદળની જેમ કડવા ઘૂંટડા પીવા પડશે, અને વધારામાં તારે વિશ્વને શાન્તિનું અમૃત પાવું પડશે. - ܀ Jain Education International ૪૫૯. સહાનુભૂતિ હાનુભૂતિ એ તો દીપક છે. ત્રાસના અંધકારમાં અથડાતા હૃદયનો એ સઆધાર છે. વાસનાના તિમિરમાં જીવનકેડી ખોઈ બેઠેલા માનવીનો એ પથદર્શક છે. આવા એ દીપની માવજત કરજો. જોતા રહેજો; એની ચીમની કાળી ન થઈ જાય, એના પર મેશના થર બાઝી ન જાય. રોજ એને માંજતા રહેજો કે જેથી કરી એની સ્વચ્છતા દ્વારા એનો પવિત્ર પ્રકાશ સૌને મળે. પ્રભાત થાય ત્યારે બીજા દીપકો ભલે બુઝાઈ જાય, પણ સહાનુભૂતિનો દીપક કદી ન બુઝાય એની ખેવના રાખજો. ૧૩૨ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy