SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ એના દિલમાં રહેલી સાચી ભાવનાનું ગીત, એ એક મુક્ત પંખીની જેમ છેડી જ શકતો નથી. હા, એ કોઈક વાર ગાય છે, પણ એમાં આત્માના પરાજયનું કન્દન અને વ્યથાના કરુણ સૂરો સિવાય બીજું હોય છે પણ શું ? ૪પ૬. પ્રયત્ન જાણ્યું કે વિપત્તિઓથી તમે ઘેરાઈ ગયા છો, પણ હવે શું ? શું મૂંઝાઈને એમાં જ પડ્યા રહેશો ? મૂંઝાવાથી વિપત્તિ ટળી જશે ? ધારો કે અંધકાર ખૂબ છે, તો તમે શું કરશો ? મૂંઝાઈને બેસી રહેશો ? એથી અંધકાર ટળી જશે ? ના, ઊભા થાઓ, દીપક શોધી કાઢો, પ્રગટાવો; અને પછી જોઈ લો : થોડી જ વારમાં પ્રકાશ ! પ્રકાશ ! થોડોક શ્રમ, થોડીક બુદ્ધિ અંધકારને પ્રકાશથી રંગી શકે છે. તો જીવનમાં આવતી વિપત્તિઓ પણ થોડોક આવો હિમ્મતભર્યો શ્રમ માગે છે. હારો નહિ, પ્રયત્ન કરો. પાણી કેવું નાજુક છે ! નાજુક આંખનેય આનંદ આપે છે. આવું નાજુક પાણી પણ પ્રયત્ન કરીને પથ્થરમાંથી માર્ગ કાઢે છે; તો માણસ તો ચેતનવંત છે, જીવંત છે, શું એ વિપત્તિમાંથી માર્ગ નહિ કાઢી શકે ? અભ્યાસ સ્વસ્થતાથી કરવો. ગભરાવું નહિ, તેમ પ્રમાદ પણ ન કરવો. માનવજીવનનું સરવૈયું એના જીવનનાં બેચાર કાર્યોથી નથી નીકળતું; એનું સરવૈયું એના જીવનનો અંત છે; અને તે દીર્ઘ અંતને છેડે આનંદપૂર્વક પહોંચવા માટે સ્વસ્થતાથી પ્રયત્ન કરવો જ રહ્યો. ૪૫૭. શુદ્ધ રસાધના 2 ટલાક માણસો, જીવનભર માત્ર સ્વપ્નો જ સેવતા હોય છે. કોઈ સુંદર બગીચામાં કે કોઈ સરિતાને કિનારે બેસી. આવા યુવાનો, કલ્પનાનાં સામ્રાજ્યો જ રચતા હોય છે; પણ એમનાં સ્વપ્ન એટલેથી સાકાર નથી થતાં. સ્વપ્ન સિદ્ધ કરવા ઇચ્છનાર, સર્વપ્રથમ, પોતાની શક્તિને વિવેકથી પિછાને છે, પોતાને ક્યાં જવાનું છે તેનો નિર્ણય કરે છે, પછી નિર્ણત લક્ષ્યબિંદુ ભણી મક્કમતાથી પગલાં ભરે છે અને ધ્યેયના શિખરે પહોંચે છે. ઊર્મિ અને ઉદધિ ૧૩૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy