SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બનનાર કેટલા ? યાદ રાખજો કે એ લોકો જ વિશ્વના અંધાર પંથે પ્રકાશ પાથરી જાય છે. ૪૧૦. સ્વ અને સર્વ હાથના પંજાને અને તેની પ્રત્યેક આંગળીને જેમ વિશિષ્ટ કાર્ય કરવાનાં છે તેમ વ્યક્તિએ પણ સમાજનાં અંગ બની જીવવાનું છે, એકત્વ સાધવાનું છે. યાદ રાખજો કે સ્વની વિચારણા એ અંધકાર છે, સર્વની ભાવના એ જીવનનો અમર પ્રકાશ છે. ૪૧૧. ઉપદેશની ઓય જીવનને ખરે અવસરે, જેમ બેન્કમાં મૂકેલું દ્રવ્ય અને તેનું વ્યાજ કામે લાગે છે, તેમ ગુરુ અને જ્ઞાની પાસેથી સાંભળેલા ઉપદેશ, જીવનની વિષમ વિપત્તિની પળોમાં ખૂબ ઉપયોગી નીવડે છે. ૪૧૨. માનવતા અને ધર્મ મૂલ્યવાન હીરો સુવર્ણની વીંટીમાં જ શોભે. પિત્તળની વીંટીમાં તો એનો મહિમા જ માર્યો જાય છે. આવી રીતે આત્મધર્મનો અમૂલો હીરો પણ માનવતાવાળા માનવીમાં જ શોભે છે, દીપે છે. ૪૧૩. આત્માની અનુભૂતિ ‘લાડુ' શબ્દના ઉચ્ચારથી કાંઈ લાડુ ખાધાની તૃપ્તિ થઈ જતી નથી; ભૂખને ભાંગવા તો લાડુ ખાવો જોઈએ. આમ “આત્મ' શબ્દના રટણથી કાંઈ આત્મજ્ઞાન લાધી શકતું નથી; એ તો જે ભક્ત આત્માની અનુભૂતિ કરે છે તેને જ પરમાનંદની પરિતૃપ્તિ મળે છે. પ્રેરણાની પરબ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy