SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે ઠગાઈ તેને નીચે પછાડતી હોય છે. અંતે ઠગનાર જ ઠગાય છે. ૩૩૧. પુનિત આંસુ એ તને ક્યારે કહ્યું હતું કે આંસુ આપીશ નહિ ! મેં તો એટલું જ કહ્યું " હતું કે દંભનાં, ક્રોધનાં કે શોકનાં અપવિત્ર આંસુ આપીશ નહિ. આપે તો પ્રેમનાં, કરુણાના કે સહાનુભૂતિનાં પુનિત આંસુ આપજે ! ૩૩૨. ફલેચ્છા જના લોકમાનસમાં એક એવી માન્યતા પ્રવર્તે છે; કોઈ પણ કાર્યનું ફળ તરત મળવું જોઈએ. આને કારણે માણસની નજર ફળ તરફ જાય છે, પણ કાર્યની નક્કરતા વિસરાઈ જાય છે; પરિણામે નક્કર કાર્ય પણ થતું નથી, ને ચિરંજીવ ફળ પણ મળતું નથી. ૩૩૩. પ્રાયશ્ચિત્ત લ થવી એ સ્વાભાવિક છે, પણ થયેલી ભૂલને પશ્ચાત્તાપનાં આંસુથી ધોઈ ન નાંખવી એ જ અસ્વાભાવિક છે. 33૪, પાગલ ક પાગલે મને કહ્યું : આ જગત કેવું પાગલ છે ! હું જે કહું છું તે કોઈ સાંભળતું નથી અને હું કરું છું તેમ કરતું પણ નથી. પાગલનું આ વાક્ય સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે ઘણા માણસો પોતાની જાત સિવાય બીજાને પાગલ માનતા હોય છે. “અક્કલમાં અધૂરો નહિ, અને પૈસામાં કોઈ પૂરો નહિ.” તો પછી આ જગતને પાગલ કહેનાર ખરો ડાહ્યો – કે પાગલને પાગલ કહેનાર જગત ખરું ડાહ્યું ! ૮૪ મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy