SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કશાસ્ત્ર ઇન્કાર કરતું નથી, પરંતુ તેમાં વિધાયક રીતે હાજર ન હોય તેવા અન્ય લક્ષણાને ધ્યાનમાં લેવામાં આવે ત્યારેજ તે તેનું અસ્તિત્વ ઇન્કારે છે, અહીં અર્થ એ છે કે જો ડેા અસ્તિત્વમાન ન હોય તેા તેનું અસ્તિત્વ સ્વીકારી શકાય નહીં. પ્રથમ અને દ્વિતીય એ એ મૂળ પ્રકાર છે. (૩) સ્યાત્ ઘડી સ્તત્વમાન છે અને અસ્તિત્વમાન નથી' એ તૃતીય વિધાનના સ્વીકાર માટે આધાર એ છે કે ઘડે! સ્વ-ધ્રૂવ્ય-કાળ-ક્ષેત્ર-પર્યાયના સ ંદર્ભ માં અસ્તિત્વમાન છે અને પર-દ્રવ્યાદિના સંદર્ભમાં અસ્તિત્વમાન નથી. આ વિધાન દ્વારા ઘડાના અસ્તિત્વ અંગે વિધિ અને નિષેધ અને ક્રમશઃ કરવામાં આવેલ છે. આ વિધાન મુજબ, નિણૅયના પ્રથમ ભાગ ઘડાના વ્યક્તિગત ગુણધર્મોના અસ્તિત્વના દૃષ્ટિબિંદુથી સત્ય છે અને તેના દ્વિતીય ભાગ ધડામાં અન્ય ગુણધર્મોના અભાવના દૃષ્ટિબિંદુથી સત્ય છે. આના અર્થ એ છે કે ધડા તેના વ્યક્તિગત ગુણધર્મોના દૃષ્ટિબિંદુથી અસ્તિત્વમાન છે અને તે તેનામાં અન્ય ગુણધર્મોની ગેરહાજરીના દૃષ્ટિબિંદુથી અસ્તિત્વમાન નથી. આ વિધાનમાં એ પર્યાયાની ક્રમિક અભિવ્યક્તિ છે એ ખાસ નોંધપાત્ર છે. ૫ (૪) સ્યાત્ ઘડા અવકતવ્ય છે' એ વિધાન ત્યારે સત્ય બને છે કે જ્યારે પુરાગામી વિધાનના બંને દૃષ્ટિબિ ંદુએના એક જ સમયે સ્વીકાર કરવામાં આવે છે. જ્યારે ધડાના સ ંદર્ભ માં અસ્તિત્વ અને અભાવ બતે ખ્યાલે એકીસાથે સ્વીકારવામાં આવે ત્યારે તે અવકતવ્ય બની રહે છે. ઘડાને સત્ અને અસત્ કહેવા હોય તા તેને માટે સત્, અસત્ કે અન્ય કોઈ શબ્દ ઉપયાગી થતા ન હોવાથી જૈન શાસ્ત્રકારા તેને અવકતવ્ય' શબ્દથી વ્યવહારમાં મૂકે છે. આ સ્થિતિમાં ઘડાને યથાર્થરૂપે - અને રૂપે (ક્રમિક રીતે નહીં પર ંતુ એકી સાથે) દર્શાવવા હોય તેા તે દર્શાવવા માટે કાઈ શબ્દ છે જ નહી અને તેથી ડેા અવકતવ્ય છે” એમ કહેવામાં આવે છે. અસ્તિત્વ અને અભાવ એ બે પાસાં પ્રતિ એકી સાથે ધ્યાન મનાવૈજ્ઞાનિક અને તાર્કિક અશકયતા છે. સત્ અને અસત્ પરસ્પર નિષેધક છે અને તેથી એક અને સમાન વસ્તુમાં બંનેનુ એકી સાથે આરેાપણુ અશકય છે. આથી ધડે! અવકતવ્ય છે” એમ કહેવામાં આવે છે. જ તૃતીય અને ચતુર્થ વિધાનપ્રકારા પ્રથમ બે વચન-પ્રકારાના સ યાગથી ઉદ્ભવ્યા છે. પ્રારંભનાં બે વિધાના જે અર્થ દર્શાવે છે તે જ અને તૃતીય વચનપ્રકાર મિક રીતે દર્શાવે છે, જ્યારે ચતુર્થાં વચન-પ્રકાર ક્રમ વગર યુગપત્~એકી સાથે દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy