SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જેન તર્કશાસ્ત્ર પતિ, તેમના પુત્રોના સંબંધમાં પિતા, તેમના પિતાના સંબંધમાં પુત્ર વગેરે પણ છે. આ રીતે સ્યાદ્વાદ અર્થાત વિધાનની સાપેક્ષતાને સિદ્ધાંત નિર્ણયની સાપેક્ષતાને સિદ્ધાંત છે. પદાર્થ અનેકાંતાત્મક (અનેક લક્ષણયુક્ત) છે અને જ્યારે પદાથે વિશિષ્ટ નિર્ણયના સ્વરૂપમાં વ્યક્ત થાય ત્યારે આ અભિવ્યક્તિ સ્યાદ્વાદ તરીકે ઓળખાય છે. પદાર્થનાં લક્ષણોની અભિવ્યક્ત વિભિન્ન દષ્ટિબિંદુએથી કરી શકાય અને આ દષ્ટિબિંદુઓ “ચા” શબ્દ સાથે વ્યક્ત કરવામાં આવે છે. અનેકાંતાત્મક પદાર્થ અંગે નિર્ણય સ્યાદ્વાદતરીકે ઓળખાય છે. ' પદાર્થ અનેકાંતાત્મક છે અને તેથી જ તેના અંગે નિર્ણય સાપેક્ષ છે. અનેકાંતાત્મક પદાર્થના અભાવમાં સાપેક્ષ નિર્ણય અશક્ય છે. આમ, નિર્ણયની સાપેક્ષતા અનેકાંતાત્મક પદાર્થ અંગેને સાપેક્ષ નિર્ણય છે, તેથી સ્યાદ્વાદને અનેકાંતવાદ પણ કહી શકાય. અનેકાંતાત્મક પદાર્થ અંગેના નિર્ણયને અનેકાંતવાદ તરીકે પણ ઓળખાવી શકાય. “સ્યાદ્વાદ'માં “સ્યાત” શબ્દ, પદાર્થોનાં અનેક પાસાં વ્યક્ત કરે છે અને તેથી તેને “અનેકાંતવાદી તરીકે પણ નિર્દેશી શકાય. આ રીતે પદાર્થ સ્વયં “અનેકાંત' છે અર્થાત અનેક લક્ષણોનું અધિષ્ઠાન છે. પદાર્થના પ્રત્યેક લક્ષણની અભિવ્યક્તિ “ચાત’ શબ્દ સાથે કરવામાં આવે છે અને તેથી પદાર્થ અંગે નિર્ણય “ચાદ્વાદછે. નિર્ણય અનેકાંતાત્મક પદાર્થની અભિવ્યક્તિ છે અને તેથી તેને અનેકાંતવાદનું નામ આપી શકાય. દાસગુપ્તા સ્માત’ શબ્દની અગત્ય દર્શાવતાં જણાવે છે, “પ્રત્યેક કથનનું સત્ય...માત્ર શરતી છે અને નિરપેક્ષ દૃષ્ટિબિંદુથી એક છે. તેથી યથાર્થતાની ખાતરી માટે, પ્રત્યેક કથન પૂર્વે “ચા” શબ્દ મૂકવામાં આવે છે. આ દર્શાવે છે કે કથન માત્ર સાપેક્ષ છે, અમુક દષ્ટિબિંદુથી અને અમુક મર્યાદા હેઠળ, કોઈક રીતે કરવામાં આવેલ છે અને નહીં કે નિરપેક્ષ અર્થમાં. કેઈ નિર્ણય નિરપેક્ષ રીતે સાચો નથી અને કેઈ નિર્ણય નિરપેક્ષ રીતે ખોટ નથી. પ્રત્યેક નિર્ણય અમુક અર્થમાં સાચે છે અને અન્ય અર્થમાં ખૂટે છે.* સ્યાદ્વાદ વાસ્તવિકતા અંગેને નિશ્ચિત ખ્યાલ છે. આમ છતાં પ્રત્યેક વિધાનની પૂર્વે “ચા” હોવાને લીધે કેટલાક સમીક્ષકોના મતે સ્યાદ્વાદ નિશ્ચયવાદ નહીં Dasgupta, S., A History of Indian Philosophy, p. 179, (Cambridge University Press), 1922. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy