________________
જૈન નીતિશાસ્ત્ર
જૈન દર્શન કર્મ' શબ્દના પ્રયાગ જે અમાં કરે છે તેના જેવા અર્થમાં અન્ય દના માયા કે અવિદ્યા (વેદાંત), અપૂર્વ (મીમાંસા), વાસના અને વિજ્ઞપ્તિ (બૌદ્ધ), ધર્મ-અધર્મ (ન્યાય), અદૃષ્ટ (જૈશેષિક), આશય (સાંખ્ય-યોગ) જેવા
શબ્દોના ઉપયાગ કરે છે.
(૩) જૈન સાહિત્યમાં કવાદ
જૈન કમ વાદ અંગે અનેક આગમેતર સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ છે જ. ઉપલબ્ધ આગમ-સાહિત્યમાં કમના સિદ્ધાંતના મૂળભૂત મુદ્દાઓ પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યે છે. અલબત્ત, આ ત્ર થામાં કવિષયક અનેક બાબતા અ ંગે ચર્ચાવિચારણા કરવામાં આવી નથી. આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતીસૂત્ર), પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનસૂત્રમાં આ સિદ્ધાંત અંગે વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય છે.
૧૩૭
(૪) ક–સિદ્ધાંતના હેતુઆ
૧. દરેક ક્રિયા નિશ્ચિત રીતે ફળ-પ્રદાન કરે છે. ફળ-પ્રદાન કરતી ન હોય એવી કાઈ ક્રિયા નથી. આ કાર્ય કારણ ભાવ કે કમ –ફળ ભાવ તરીકે ઓળખાય છે. કમ અને ફળ વચ્ચે વિભાજ્ય સબંધ છે.
૨. કાઈ ક્રિયાનું ફળ જીવને વર્તમાન જીવનમાં ન મળે તેા, તેને માટે ભાવિ જીવન અનિવાર્ય બની રહે છે.
૩. આત્મા કર્મના કર્તા અને ભોક્તા બને છે અને તે જ એક ભવ (જન્મ)માંથી અન્ય ભવમાં જાય છે. કાઈક ને કાઈક ભવના માધ્યમ દ્વારા જ તે પોતે પૂર્વે કરેલાં કર્મી ભાગવે છે અને નવાં કર્માં બાંધે છે. આ કર્મ–પર પરા –ભંગ કરવાનું પણ તેનામાં સામર્થ્ય છે.
૪. જન્મગત વ્યક્તિભેદ કર્મ જન્ય છે, વ્યક્તિના વ્યવહાર અને સુખદુ:ખમાં દૃષ્ટિગોચર થતી અસમાનતા પણ કર્મજન્ય છે.
૫. જીવ સ્વયં ક બંધ તથા ક ભાગના અધિષ્માતા છે. આ સિવાયના જેટલા હેતુએ દૃષ્ટિગોચર થાય છે તે સર્વે સહકારી કે નૈતિક જ છે.*
ડૉ. મહેતા મેાહનલાલ, જૈન ધર્મદર્શન, પૃ. ૪૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org