________________
૧૬ર
જેનશન
પ્રાપ્ત કરવાના સાધન તરીકે વ્રતને માન્ય રાખે છે. તેથી જીવનમાં આ મહાવ્રતા કે આણુવ્રતાના આચરણને ચારિત્ર તરીકે ઓળખવામાં આવે છે.
૬. તેરાપંથને અહિંસાવિષયક ખ્યાલ:
જૈન શ્વેતાંબર સંપ્રદાયના તેરાપંથ અહિંસાની વિચિત્ર વ્યાખ્યા આપે છે અને અહિંસાને જીવરક્ષાથી જુદી પાડે છે. જ્યાં સુધી સાધુ-સાધ્વીની આચારસંહિતાને લાગેવળગે છે ત્યાં સુધી નિરપેક્ષ દૃષ્ટિબિંદુથી અહિંસાની સમજૂતીનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ દષ્ટિબિંદુથી વજર્ય અને અવર્ચે હિંસા વચ્ચે કેઈ ભેદ નથી. આ રીતે, કેઇપણ સંજોગો હેઠળની હિંસા એ હિંસા જ છે. જે એકવાર આપણે સૂક્ષ્મ જીવોના અસ્તિત્વને સ્વીકારીએ તો પછી આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની હિંસા પણ (પછી ભલે તેને હેતુ માનવજીવનરક્ષણ હેય) અનૈતિક જ છે. નિરપેક્ષ અહિંસાની આવી સમજૂતી સામાન્ય માનવીની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરી શકે તેવી નથી. કદાચ બુદ્ધિશાળી વ્યક્તિ નિરપેક્ષ અહિંસા સ્વીકારી શકે નહીં, કારણ કે તે સૂક્ષ્મ જીવોની હિંસા કર્યા વિના તેના પિતાના જીવનનું રક્ષણ કરી શકે નહીં. પરંતુ તાવિક દૃષ્ટિએ આવી “સાપેક્ષ હિંસાને અહિંસા કહી શકાય નહીં. તેરાપંથ મુજબ પણ, વિરક્ત સાધુજન માટે નિરપેક્ષ અહિંસાનું આચરણ અનિવાર્ય છે. - તેરાપંથ અનુસાર, જે સંજોગે હેઠળ માનવીને સાપેક્ષ હિંસા આચરવી પડે અને જે આવો માર્ગ મેક્ષ માટે સહાયભૂત મનાતો હોય તે અહીં ગંભીર ક્ષતિ થાય છે. તેમના મતે, આધ્યાત્મિક અને વ્યાવહારિક જીવન વચ્ચે ભેદ છે. માનવીએ પિતાની નિર્બળતા સ્વીકારવી જોઈએ અને તે સર્વ કાળે આધ્યાત્મિક નાતિકતાને અનુસરી શકે નહીં. નિરપેક્ષ અહિંસા ત્યાગીજન માટે જ આદર્શ બની શકે. તેરાપંથ મુજબ, નિરપેક્ષ અહિંસાને ખ્યાલ સૂક્ષ્મ છે અને માનવ વ્યક્તિઓ પ્રત્યેની દયા-અનુકંપા વચ્ચે ભેદ પાડતો નથી. તેમના મતે, જીવ-રક્ષા આધ્યાત્મિક દષ્ટિબિંદુથી અહિંસા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ જીવ-રક્ષા પ્રશંસનીય છે ખરી, પરંતુ આધ્યાત્મિક કે પારમાર્થિક દૃષ્ટિએ તેને નૈતિક ફરજ માની શકાય નહીં. તેરાપંથના અગ્રણી આચાર્ય તુલસી દયા–અનુકંપા(compassion)ની નીચે મુજબ વ્યાખ્યા આપે છે, “અનુકંપા એટલે ધાર્મિકતાથી પિતાના અને પારકાના આત્માનું રક્ષણ. વ્યાવહારિક દૃષ્ટિબિંદુથી જીવ-રક્ષાને પણ અનુકંપા માની શકાય.” * Jaina Siddhanta Dipika, p. 107.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org