SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ જેન નીતિશાસ્ત્ર (Jaina Ethics) ૧. પ્રાસ્તાવિક આ પહેલાં આપણે નીતિશાસ્ત્રની દૃષ્ટિએ, દ્રવ્યનું વર્ગીકરણ અર્થાત્ નવ તો ૧ અંગે જઈ ગયા છીએ. આ પ્રકરણમાં હવે આપણે (૧) પાંચ નૈતિક સિદ્ધાંતો (૨) કર્મનો સિદ્ધાંત અને (૩) ગુણ શ્રેણી કે ગુણસ્થાનને સિદ્ધાંત એ ત્રણ વિષય અંગે જઈશું. ૨. જન દશનનું વિરક્ત-ત્યાગી વલણ (Ascetic Attitude of Jainism) જૈન દર્શન ત્યાગને પંથ સ્વીકારે છે અને ઉત્કર્ષના વૈદિક પંથ(જેમાં ચાર આશ્રમ-પુરુષાર્થે સમાવિષ્ટ છે અને સક્રિય સામાજિક-સાંસારિક જીવનને ઇચ્છનીય માનેલ છે તેને વિરોધ કરે છે. વેદિક તત્ત્વજ્ઞાન ત્યાગ અને વૈરાગ્યયુક્ત જીવન પ્રત્યે ક્રમિક કૂચમાં માને છે. પરંતુ જેના દર્શન મુજબ, જ્યારે વ્યક્તિ એકવાર સાંસારિક જીવનના ચક્કરમાં ફસાય છે ત્યારે તેને માટે વિષયયુક્ત પદાર્થો અને વિષય વાસનાઓને પરિત્યાગ મુશ્કેલ બની રહે છે. ઈછી હંમેશાં અતૃપ્ત રહે છે અને કદી સંપૂર્ણ રીતે પરિતૃપ્ત થતી નથી. ઉત્તરાધ્યયન સૂત્ર દર્શાવે છે, “અને જે કોઈ વ્યક્તિ એક વ્યક્તિને સારી ય પૃથ્વી આપે તે પણ તે તેને માટે પર્યાપ્ત નહીં થાય. જેમ તમને વધુ મળે તેમ તમે વધુ મેળવવા ઈચ્છે છે. તમારી ઇચ્છાઓ તમારા સાધનોની સાથે વૃદ્ધિ પામે છે. તમારી ઈચ્છાઓની પરિપૂર્તિ અર્થે બે પૈસા પૂરતા હોય તો પણ તમે ૧૦૦ લાખ પણ ભાગ્યે જ પર્યાપ્ત માને છે.”૨ બીજે અંતરાય એ છે કે વૈરાગ્યમય–ત્યાગમય જીવનની ક્રમિક આગેકૂચ સો વર્ષના જીવનની પૂર્વાપેક્ષા રાખે છે. જીવન અત્યંત અનિશ્ચિત છે, દેરાની જેમ તે કોઈપણ ક્ષણે તૂટી પડે અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટેની એકવાર ૧ જુએ પ્રકરણ ૨, પૃ. ૬૮-૭૮. ૨ s. B. E., XLV, Uttaradhyayana sutra, IX, 16-17, p. 34 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy