________________
જેન અને વિરાન
૧૪૫
આ ઉપમા નીચે મુજબ સમજાવી શકાય. અહીં “મૂડી”, “લાભ” અને “ખોટ' શબ્દ અનુક્રમે માનવદેહ, દેવગતિ અને નરક અને તિર્યંચ ભવમાં પતન માટે પ્રયોજાય છે. જે મનુષ્યત્વને પ્રકટાવે છે તે મૂળ મૂડીને આબાદ રાખે છે. (મનુષ્યદેહ પ્રાપ્તિ મૂળ મૂડી જ છે.) દેવગતિ પામનાર લાભ મેળવે છે અને નરક અને તિર્યંચમાં ભવ પામનાર ખરેખર મૂડીની ખેટ કરે છે. સત્કર્મથી દેવગતિ પામનાર મનુષ્યભવથી વિશેષ કંઈક હાંસલ કરે છે, જ્યારે દુષ્કર્મ આચરનાર અધે ગતિ પામે છે. આ રીતે વ્યક્તિ કર્મનું ફળ અચૂક ભોગવે છે. પ્રજ્ઞજન પોતાના મનમાં સદાચારી-સણી અને દુરાચારી-દુર્ગુણ-ની ગતિની તુલના કરીને દુરાચારી-પાપી-ની સ્થિતિને ત્યાગીને સદાચારી-સદ્ગણની સ્થિતિ સેવે છે.મૂર્તિમંત કરે છે.
જેન તત્વને પુનર્જન્મ-સિદ્ધાંત માનવઆત્માની અમરતા અને તેના પરિણામરૂપ પ્રગતિ અને પતનની શકયતા દર્શાવે છે એટલું જ નહીં પરંતુ તે ચેતના-સાતત્ય અને માનવ-ગતિના જવાબદારીયુકત સ્વરૂપ પર પણ ભાર મૂકે છે. આ અર્થમાં પુનર્જન્મ સિદ્ધાંત જૈન નીતિશાસ્ત્ર માટે આધારશિલા બની રહે છે.
જે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org