________________
૧૪૨
જૈનદત
સચિત
આ આક્ષેપ માતાપિતાના મિલન દ્વારા ઉત્પન્ન થયેલ શરીર અને શરીરના ઉપયાગ કરનાર તત્ત્વ (આત્મા) વચ્ચેના ભેદના અજ્ઞાનને લીધે ઉપસ્થિત કરવામાં આવે છે. જૈન સિદ્ધાંત અનુસાર, આત્માને દેહ પ્રાંત પ્રેરનાર કર્મ ‘આનુપૂર્વી’ તરીકે આળખાય છે. આત્મા આ દેહમાં તે વિશિષ્ટ જન્મ માટે તેનાં કર્માની કામગીરી માટે તેના પોતાના દેહ વિકાસાવે છે અસ્તિત્વની ચાર સ્થિતિને અનુરૂપ આનુપૂર્વીના પણ ચાર પ્રકારો છે : દૈવી, માનવીય, તિર્યક અને નારકીય. અલબત્ત, આપણા જીવનનાં કેટલાંક લક્ષણા વારસાગત–આનુવંશિક છે, પરંતુ અંતે તા તેઓ પણ આપણા પૂર્વજન્મનાં કર્મોને લીધે છે. જ્યારે આપણા પોતાનાં કર્માં આપણા માતાપિતાના દેહ પ્રતિ આપણને પ્રેરે છે ત્યારે આપણે આપણા વારસ!ગત લક્ષઙ્ગા વિકસાવીએ છીએ. તદુપરાંત કહેવાતાં વારસાગત લક્ષણાના ઉદ્ભવ અને વિકાસ વ્યક્તિના કર્મના ઉદ્ય દ્વારા થાય છે. જેવુ કંઈ નથી. તે હંમેશાં રૂપાંતરિત સ્વરૂપમાં હોય છે. પ્રત્યેક વ્યક્તિમાં, તે અદ્વિતીય છે. સંક્ષેપમાં, વૈયક્તિક લક્ષણા-વ્યક્તિગત કમ્ત-થી અસરમુક્ત એવા કાઈ. વારસા નથી.
શુદ્ધ વારસો
આ સંસાર દુઃખ અને યાતનાથી સભર છે. તા પછી શા માટે આપણે અહીં પરત થઈએ છીએ ? શુ' કર્મના સિદ્ધાંત પ્રતિકૂલ નથી ? આ પ્રશ્ન અપ્રસ્તુત છે. સર્વ કંઈ આપણા ગમા-અણુગમા પર નિર્ભર નથી, કના સિદ્ધાંત આપણા મનેરથાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. કર્મોના સિદ્ધાંતની શાખા સમાન પુનર્જન્મના સિદ્ધાંત વિશ્વમાં દૃષ્ટિગાચર થતી અસમાનતા અને વૈવિધ્યની સમસ્યાને કઈક અશે સ તાષપ્રદ ઉકેલ છે.
પુનર્જન્મ અને ઉત્ક્રાંન્તિ :
જ્યારે આત્માનુ અમરત્વ અને પુનર્જન્મ પ્રસ્થાપિત થાય છે ત્યારે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું પુનર્જન્મ હમેશાં ઊર્ધ્વગામી (upward) ઉત્ક્રાંતિ સૂચવે છે કે જેથી એક વાર માનવ-ગતિના તબક્કો પ્રાપ્ત કર્યા પછી ઉત્ક્રાંતિની શ્રેણીમાં તેનાથી નિમ્ન કક્ષાની ગતિ પર સરકવાનું કાઈ જોખમ જ નથી? આના ઉત્તર નકારમાં છે. અલબત્ત, એવી દલીલ કરી શકાય કે શરત એ છે કે દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિને તે માટે દુ:ખ સહન કરવાં પડે અને આ જ દુષ્કૃત્ય કરનાર માટેની યાગ્ય સા છે. પરંતુ આમ નથી. કૅસિદ્ધાંત અનુસાર માનવકૃત કાર્યો તેની સ્થિતિ અને ગૌરવને યોગ્ય ન હોય, પરંતુ માનવથી નિમ્ન કક્ષાને યાગ્ય હોય તેા વ્યક્તિ માનવકક્ષાથી નીચે ધકેલાઈ જાય છે—અવનતિ પામે
Jain Education International
For Private & Personal Use Only
'
'
www.jainelibrary.org