________________
જૈન અનેાવિજ્ઞાન
મનનું કાર્ય સમનસ્ક વ્યક્તિને અમનસ્ક વ્યક્તિથી ભિન્ન પાડે છે. ગામ્મટસાર દર્શાવે છે તેમ, મનની સહાયથી, વ્યક્તિ શીખે છે, હાવભાવ સમજે છે, સૂચનાએ ગ્રહણ કરે છે અને વાતચીત અનુસરે છે...મન દ્વારા જ વ્યક્તિ કરતાં પહેલાં શુ કરવુ જોઈએ અને શું ન કરવુ જોઈએ' એ નક્કી કરવા સમર્થ બને છે. મન દ્વારા જ વ્યક્તિ વાસ્તવિક એને અવાસ્તવિક વચ્ચેના ભેદ શીખી શકે છે. જ્યારે તેને તેના નામથી ખેાલાવવામાં આવે છે ત્યારે તે મન હોવાને લીધે પ્રતિક્રિયા કરે છે. *
૨. આત્મા (Soul or Self)
(૧) આત્માની વ્યાખ્યા (Definition of Soul) :
ચેતના આત્માનું અસાધારણ લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્ર ઉપયોગ (ચેતનાની ક્રિયા) શબ્દ દ્વારા આત્માનું લક્ષણ દર્શાવે છે. માત્ર ચેતના એવી છે જે આત્મા સિવાય અન્ય દ્રવ્યમાં હોઈ શકે નહીં. ચેતના જીવ-અજીવ વચ્ચેની મુખ્ય ભેદ રેખા છે. તેથી ચેતના જીવનું લક્ષણ છે. ચેતના ઉપરાંત ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, સત્ (અસ્તિત્વ), પ્રમેયત્વ વગેરે સામાન્ય લક્ષણા પણ તેમાં સમાવિષ્ટ છે. વિશિષ્ટ દ્રવ્યની વ્યાખ્યામાં અન્ય દ્રબ્યામાં જોવા ન મળતા હોય તેવા અસાધારણ—વિશિષ્ટ લક્ષણને જ સમાવેશ થાય છે. જ્યારે આપણે તેનાં સર્વ લક્ષણા નિર્દેશીએ છીએ ત્યારે આપણે તેની વ્યાખ્યા કરતા નથી પર ંતુ તેનું વર્ણન કરીએ છીએ.
૧૩૩
ચેતનામાં તેનાં ઘટકતત્ત્વા તરીકે જ્ઞાન અને
ન સમાવિષ્ટ છે. ઉપયોગના અર્થ માત્ર જ્ઞાન અને દર્શન થાય છે. પરન્તુ આત્મા અનંત ચતુષ્ટયયુકત છે. અર્થાત્ તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ધરાવનાર દ્રવ્ય છે. મુકતાત્મા આ અનંત ચતુષ્ટયયુક્ત છે. સ સારી જીવમાં આ અનંત ચતુષ્ટય તેના પૂર્ણ સ્વરૂપમાં હોતું નથી. કારણ કે તેમાં તે ચાર ઘાતીકk (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય, અને અંતરાય ક)ના આવરણ દ્વારા આચ્છાદિત છે. આ ચાર ધાતીકર્મોના ક્ષય દ્વારા ક્રમશઃ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના પ્રાદુર્ભાવ થાય છે. મુક્તાત્માઓ અને કેવળીએ આ ચાર ઘાતીયાંથી સ'પૂર્ણરીતે મુક્ત છે અને તેથી તેએ પૂર્ણ સ્વરૂપે અનંત ચતુષ્ટયયુક્ત છે. આ અનંતચતુષ્ટય' ચેતનાની જ વિશિષ્ટ શક્તિ છે અને તેથી ચેતના જ આત્મા કે જીવનું વિશિષ્ટ લક્ષણ છે. “ ગાઢ નિદ્રાવસ્થા પણ ચેતનાવિહોણી
ગામ્મટસાર, જીવકાંડ, પૃ. ૬૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org