________________
જેના અને પરનું નિશ્ચયાત્મક જ્ઞાન (દયર ચકાચા શા માળા) જ્ઞાનરૂપ પ્રમાણે. માટે પણ એ આવશ્યક છે કે તે સ્વયંને જાણે અને પદાર્થને પણ જાણે શ્રી હેમચંદ્ર પ્રમાણમીમાંસામાં દર્શાવે છે. વાર્થ મળ: ગાળ-પદાર્થ અંગેને યથાર્થ (સમ્યફ) નિર્ણય કે સાચું જ્ઞાન પ્રમાણ છે. બીજા શબ્દોમાં જ્ઞાનનું સાધન પદાર્થનું પ્રમાણભૂત નિશ્ચયાત્મક સવિકલ્પક જ્ઞાન છે, જૈન મતે અનિશ્ચિત નિર્વિકટપક જ્ઞાન એ જ્ઞાન જ નથી. તે માત્ર અનિશ્ચિત પ્રત્યક્ષ કે દર્શન જ છે. જ્ઞાન અહીં સ્વયં પ્રમાણિત સ્વરૂપનું હોઈ અનવસ્થા દેષને પ્રશ્ન ઉદ્ભવતાં નથી. આથી જેટલાં યથાર્થ જ્ઞાન છે તેટલાં જ પ્રમાણ છે.
૩. પ્રમાણુની સંખ્યા :
ભિન્ન ભિન્ન ભારતીય દર્શનમાં પ્રમાણની સંખ્યા ભિન્ન ભિન્ન જોવા મળે છે. ચાર્વાક દર્શન એક માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે, વશેષિક દર્શન અને બોદ્ધ દર્શન પ્રત્યક્ષ અને અનુમાન એ બેને પ્રમાણ તરીકે માન્ય રાખે છે, સાંખ્ય દર્શન, પ્રત્યક્ષ અનુમાન અને શબ્દને એમ ત્રણ પ્રમાણેને સ્વીકારે છે, ન્યાય દર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ ઉપરાંત ઉપમાન એમ ચાર પ્રમાણે સ્વીકારે છે, પ્રભાકર મીમાંસા ઉપરોક્ત ચાર પ્રમાણે સાથે અર્થપત્તિને પ્રમાણુ તરીકે સ્વીકારીને કુલ પાંચ પ્રમાણે માન્ય રાખે છે, ભટ્ટ મીમાંસા ઉપરોક્ત પાંચ સાથે અભાવને પ્રમાણ તરીકે સ્થાન આપી છ પ્રમાણે સ્વીકારે છે, ચરક ઉપરોક્ત છે ઉપરાંત મુક્તિને સાતમાં પ્રમાણ તરીકે માન્ય રાખે છે અને પુરાણુ આમાં અતિઘને ઉમેરે કરીને આઠ પ્રમાણે સ્વીકારે છે. ૪. જેન દષ્ટિએ પ્રમાણનું વગીકરણ (classification of
Pramana according to the Jaina) જૈન દર્શન મુજબ, પ્રમાણુની સંખ્યા મુખ્યત્વે બે છે: (૧) પ્રત્યક્ષ અને (૨) પરેક્ષ. પ્રમાણનું પ્રત્યક્ષ અને પક્ષમાં વર્ગીકરણ જૈન તકશાસ્ત્રની આગવી સૂઝ છે. આ બે પ્રકારોમાં સર્વ પ્રમાણે સમાવિષ્ટ થાય છે. પ્રત્યક્ષ પ્રાપ્તિ-કાળમાં
સ્વતંત્ર છે, જ્યારે પરોક્ષ સાધન–પરતંત્ર. તેથી પ્રત્યક્ષને પદાર્થ સાથે સાક્ષાત સંબંધ છે અને પરાક્ષને અન્યના માધ્યમ દ્વારા. પ્રત્યક્ષનું લક્ષણ સ્પષ્ટતા છે, સંનિકર્ષ કે કલ્પનારહિતતા (જાતિ, દ્રવ્ય વગેરે પ્રત્યયરહિત) નથી. પ્રત્યક્ષ રવયં પૂર્ણ છે. તેને અન્ય કોઈ આધાર કે સહાયની આવશ્યકતા નથી. જ્ઞાનની પ્રત્યક્ષતા માટે પદાર્થ અને તેની વચ્ચે અંતરાયને અભાવ હે આવશ્યક છે. જૈન દૃષ્ટિએ, પ્રત્યક્ષમાં જ્ઞાન અને સેય વચ્ચે અન્ય કોઈ માધ્યમ નથી. આત્મ-પ્રત્યક્ષ જ વાસ્તવિક પ્રત્યક્ષ છે. ઈન્દ્રિ દ્વારા મળતું જ્ઞાન ઇન્દ્રિયાશ્રિત હેવાથી વાસ્તવમાં પરોક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org