SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન સમિટ સ્વરૂપી એવા આત્માના પ્રગટ અનુભવ વડે કરીને જ જે આત્માને ગમ્ય છે, એટલે જણાય છે, તે પરમાત્મ સ્વરૂપી દેવને નમસ્કાર થાઓ. ૪. ન સ્પર્શો યસ્ય ને વર્ણો, ન ગળે ન રસસ્કૃત; શુદ્ધ વિનુમાત્ર ગુણવાન, પરમાત્મા સ ગીયતે. પ. શબ્દાર્થ –જેને વિષે કઈ પણ પ્રકારને સ્પર્શ, વર્ણ કેવાં રૂપ રંગ, કે રસાદિક કાંઈ નથી, માત્ર શુદ્ધ, એક જ્ઞાનાનંદમયજ, નિર્મળ ગુણવાન આત્મા થયો છે જેને, એવા નિર્વિકાર, સવ ગુણ આત્માને પરમાત્મા કહીએ. ૫. માધુર્યાતિશય યદ્રા, ગુણાઘ: પરમામના, તથા ખ્યાતું ન શકોડપિ, પ્રત્યાખ્યાતું ન શક્યતે. ૬. શબ્દાર્થ-અતિ માધુર્ય વચન બોલવાના અતિશય ગુણવાલા પુરૂષથી પણ જે મહાત્માના અનંત ગુણોના સમુહોનું વર્ણન થવું અશક્ય છે, તેમજ તેનું સ્પષ્ટ નિરાકરભુ એટલે પ્રતિભાસન પણ થવું મહા અશક્ય છે, એવા વળી. ૬. બુદ્ધા જિને હૃષીકેશ:, શંભુર્બાહ્ય.દિપુરૂષ; ઈત્યાદિનામભેદેડપિ નાર્થત: સ વિભિઘતે. ૭. શબ્દાર્થ-બુધ, જીન, ઋષિકેશ એટલે મુનીશ્વર અથવા યેગીશ્વર, શંભુ, બ્રહ્મા, આદિનાથ ઇત્યાદિક અનેક નામના ભેદ હોવા છતાં, તે સર્વનામે, ગુણ નિષ્પન્ન, સિદ્ધ અર્થવાળા હેવાથી પરમાત્માના ભાવ સ્વરૂપમાં અર્થે કરીને કાંઈ પણ ભેદ પડતો નથી, એવું પરમાત્માનું સ્વરુપ છે. ૭. ઘાવંતેડપિ નયા નિકે, તત સ્વરૂપં સ્પૃશક્તિ ન સમુદ્રા ઈવ કલોલ; કૃતપ્રતિનિવૃત્ત. ૮. શબ્દાર્થ -નાના પ્રકારના અર્થમાં પ્રવૃત્તિ કરનારા એવા નૈગમદિ અનેક પ્રકારના નયે પણ જે પરમાત્મ સ્વરુપને સ્પર્શ કરી શકતા નથી, અથાત્ તે નયેએ પણ, તથા ભંગ પ્રમાણ દિ કથનેને પણ જે સ્વરુપ અગમ અગોચર છે, તે જેમ પરાવર્તન કરનાર એવા સમુદ્રના કલ્લોલે એટલે મજાઓ જેમ મૂલ સમુદ્રનું સ્વરુપ સ્પર્શતા નથી, તેની પેઠે સવાગજાળ કેતાં વચન કથનીને પરમાત્મ સ્વરૂપ અલબ્ધ છે. ૮. શબ્દોપરકતદુપ-બેધકૃત્રયપદ્ધતિ: નિર્વિકલ્પ તુ તદ્રુપ, ગમ્યું નાનુભવં વિના. ૯ શબ્દાર્થ –સાત નયની પદ્ધતી વડે, એટલે જ વચનાનુસાર, શબ્દાર્થ પર્યા. વાચન રૂપ, કથનવડે પરમાત્મ સ્વરુપ સવિકલ્પ ધ્યાન ૨૫ પ્રાપ્ત થાય છે, સારાંશ કે, પરમાત્માનું સવિકલ્પ રુપ, સપ્ત નાના સંપૂર્ણ મિલન વડે બેધગમ્ય છે, અને નિર્વિક૯૫ પરમાત્મ સ્વરૂપ તે અનુભવજ્ઞાન વિના જણાતું નથી, અર્થાત્ , પરમાત્મ વરૂપી થઈને પરમાત્માને આરાધે તે જ શુદ્ધ પરમાત્મ દશાને આત્મા અનુભવે છે. ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy