SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૬ સજજન સન્મિત્ર ઔષધ કર્યા વિના જ પિતાની મેળે જ રહે, અને કેઈકને તે ઔષધ ચૂર્ણ, ધાગાદિ કરવાથી જવર જાય છે, તથા કોઈને તે અસાધ્ય જવર કઈ રીતે જાયજ નહિ. એ રીતે એ બે દ્રષ્ટાંત સમ્યકત્વપ્રાપ્તિ વિષે જોડવા. તે આવી રીતે, કંઈક શુકલ પક્ષી, કાલાદિક કારણ પરિપાકવંત ચરમાવર્તિ, ચરમ કરણી, એ ભવ્યજીવ, તે સહેજે આપોઆપ વિચારતે થકે સમ્યકત્વ પામે, તે નિસગ સમ્યકત્વ કહિયે, તથા કેઈક જીવ પૂર્વોક્ત કાલાદિક યેગ્યતાવંત હોય, પણ સદ્દગુરૂને ગે ઉપદેશ સાંભળી અનાદિની ભૂલ મટાડી દેવ, ગુરૂ, ધર્મ સવ્હણરુપે સમ્યકત્વ પામે તેને ઉપદેશ સમ્યકત્વ કહિયે. એ રીતે એ, ન્યાયદ્વારાએ સમ્યકત્વ. તે હે પ્રભુ ! તમે કહ્યું, પ્રયું, તે માટે પરમોપકારી એહવા તુજને મહારે નમસ્કાર થાઓ. ૧૨. હવે ત્રણ પ્રકારે સમ્યકત્વ કહે છે. તિવિહં કારગ રોઅગ-દીવક ભેએહિં તુહ મયવિઊંહિ; પવસવસમિય–ખાઇ અભેહિં વા કહિય. ૧૩ ભાવાર્થ...હે નાથ ! લ્હારા મતના વેરા જે ગણધરાદિક તેણે કારક, રેચક, અને દીપક, એમ તિવિહ-ત્રણ પ્રકારે સમ્યકત્વ કહ્યું છે. વા અથવા ક્ષાયોપથમિક, ઉપશમ અને ક્ષાયિક, એ રીતે પણ ત્રણ ભેદે સમ્યકત્વ કહ્યું છે. ૧૩. હવે કરકાદિક સમ્યક્ત્વનાં લક્ષણ કહે છે. જ જહ ભણિયં તુમએ, તંતહ કરણુમિ કારગે હાઈ રે અગ સમ્મત્તે પુણ, ઈમિત્તકર તુ તુહ ધમ્મ. ૧૪ ભાવાર્થ-હે નાથ, જેમ યથાર્થ ભાવે વિધિમાગ તમે પ્રકાશ્યો, તે તેમજ આજ્ઞાને અતિક્રમ થક, એટલે તમારી આજ્ઞા સહિત, આ ગત શૈલીપુર્વક યથાશક્તિએ દાન, પૂજા, વ્રત, નિયમાદિક કરે, તેને કારક સમસ્યત્વ કહિયે, તથા વલી બીજું રોચક સમ્યકત્વ, તે લ્હારા ધમને વિષે રૂચિમાત્ર કરે, શ્રીજિનેક્ત ધર્મ કરવાની ઈચ્છા રહે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કોઈને ધમ પ્રવૃત્તિ કરતે દેખીને રૂડું માને, પરંતુ પોતે ભારે કર્મી, માટે ક્રિયાનાનાદિક કરી શકે નહિ, તેને રેચક સમ્યકત્વ કહિએ. ૧૪. હવે દીપક સભ્યત્વ કહે છે – સયહિ મિચ્છદિઠ્ઠી, ધમ્મ કહાઈહિં દીવઈ પરસ; દીવ સમમિણું, ભણંતિ તહ સમયમ. ૧૫ ભાવાર્થ-સ્વયં-પોતે તે મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય, દુર્ભાગ્ય હોય, પણ અંગાર મકાચાર્યની પેરે ધર્મકથાદિકે કરી, તથા દંભરચના વિશેષે કરી પર, જે બીજા ભવ્ય ભદ્રક જી હોય, તેને ધમે કરી દીપાવે, એટલે આગલા જીવન ઘટમાં પ્રકાશ કરાવે, પરંતુ પિતાને અંતરંગ પરિણામે શ્રદ્ધા ન હોય. એહવાને હે પ્રભુ! હારા સમય જે સિદ્ધાંત, તેના જાણુ પુરુષ દીપકસમ્યત્વ કહે છે. ૧૫. હવે બીજી રીતે પ્રકારાંતરે ત્રણ ભેદ સમ્યકત્વના કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy