SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સજ્જન સન્મિત્ર પછી કાજા સમધિ ઈરિયાવહી પડિકસી દેવવંદન કરે, તે આ પ્રમાણે પ્રથમ-કલ્યાણકદની એક થાય એવી એક નવકારના કાઉસ્સગ્ગ કરે, પછી અન્નત્ય અરિહંત ચેઈ યાણું૦ જય વીયરાય॰ ઉવસગ્ગહર નમે ત્ જાતિ ચે૰ જાવંત કે॰ નમ્રુત્યું પાર્શ્વનાથનું ચૈત્યવંદન૦ લોગસ્સ લાગસ્ટને કાઉસગ્ગ અન્નત્યં તસ્સ ઉત્તરી॰ ઇરિયાવહી ખમાસમણુ॰ પછી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ કહે. પછી સાધુ સીધા વેષ પહેરી સીધે કાન્તે લઈ તેની ઇરિયાવહી કરે. ૩૧. કાઇ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાના વિધિ. જો રાત્રિ મૃતક રાખવાનું હાય, તે મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસોએ રાત્રે જાગવું, ઉંઘવું નહિ, પ્રથમ દાઢી મૂછ અને માથાના કેશ કાઢી નખાવે, પછી હાથની છેલ્લી ટચલી આંગનીના ટેરવાના છેદ કરે, પછી પગની આંગળીના ધોળા સુતરથી અધ કરે, પછી કથરોટમાં એસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, પછી નવાં સુંવાળાં કપડાંથી શરીર લુછીને સુખડ કેસર ખરાસના વિલેપન કરી, ચાલપટ્ટો ચાદર આદિ નવાં સુંવાળાં વસ્ત્ર પહેરાવે, તે આ પ્રમાણે-સાધુ હાય તા પ્રથમને આઘેા લઇ લેવા, સાધુને નવા ચેાળપટ્ટો રા હાથનેા પહેરાવી કદોરો બાંધે તથા નવા શ્વેત કપડા ા હુથના કેસરના પાંચ અવળા સાથીઆ કરી ઓઢાડે, બીજા કપ ડાંને કેસરના છાંટા નાંખવા. નનામી ઉપર એક ઉત્તરપટ્ટો પાથરવા અને તેના વચલા ભાગમાં એક આટાના અવળેા સાથીએ કરવેા અને માંડવી હાય તો બેઠકે અવળા સાથીઓ કરવા. સાથી હાય ને લેધા વિગેરે નીચેનાં બધાં વચ્ચે સિવાયના ઉપરના ભાગનાં બધાં વસ્ત્રાને કેશરના અવળા પાંચ પાંચ સાથીઆ કરવા તેમજ ઉપર અને નીચેનાં બધાં વસ્ત્રાને કેશરના છાંટા નાખવા. ચાર આંગળ પહેાળા નવાં લુગડાંના પાટેા કેડે બાંધવા, પછી નાવના આકારે ચૌદ પડના લગેટ પહેરાવે. તે નાવના આકારે ન હોય તે કપડાંના ચૌદ પડ કરીને તેના લગાટ પહેરાવે, પછી નાના લેંઘા જાઘ સુધીને પહેરાવે, પછી લાંબે લેંઘા પગના કાંડા સુધીને પહેરાવી કેડે દેશ બાંધીને, એક સાડા ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીનેા પહેરાવી દોરીથી માંધવા, પછી ક`ચવાની જગ્યાએ, લુગડાના પાટે વીંટી ત્રણ કચવા પહેરાવી એક કપડા એઢાડે, પછી સુવાડીને બીજો કપડા ઓઢાડે અને જમીન ઉપર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલી ઠાકે. પછી મૃતકની જમણી ખાજુએ ચરવળી તથા મુહુપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝોળીની અંદર ખડિત પાત્રામાં એક લાડુ મૂકે પછી જે વખતે કાળ કર્યાં હેાય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જોવું. (અથવા બ્રાહ્મણને પૂછ્યું.) રાહિણી, વિશાખા, પુન વસુ, અને ત્રણ ઉત્તરા, એ છ નક્ષત્રમાં ડાભના બે પુતળાં કરવાં. જયેષ્ટા, આર્દ્રા, સ્વાતિ, શતભિષા, ભરણી, અશ્લેષા અને અભિજિત્ આ સાત નક્ષત્રમાં પુતળાં કરવાં નહિ, ખાકીનાં ૧૫ નક્ષત્રમાં એકેક પુતળુ કરવુ', તે પુતળાંના જમણા હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલું પાત્ર લાડુ સહિત મૂકવું. જો બે પુતળાં હોય તે અંનેને તે પ્રમાણે આપવું. પછી પુતળાં આદિ અધી વસ્તુ મૃતકની પાસે નૈઋત્ય ખૂણામાં અથવા દક્ષિણ દિશામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy