SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિમણુદ સુરે વંદન, પડિકામણ કીધું. વીચાર વિષઈએ અને જે કઈ અતિચાર૧૬. નાણુઈ અ પઈવય, સમ સુલેહણ પણ પન્નર કમેસુ બારસતપ વીરિઅતિગં, ચઉવીસસય અઈયારા.૧ ૧. પડિસિદ્ધાણું કરણે પ્રતિષેધ–અભક્ષ્ય અન તકાય બહુબીજભક્ષણ, મહાભ, પરિગ્રહાદિક કીધા. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સહ્યા નહીં. આપણી કુમતિલગે ઉસૂત્ર પરૂપણું કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ–અરતિ, પરંપરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપાનક કીધાં, કરાવ્યાં, અનુમેઘાં હોય. દિનકૃત્ય-પ્રતિકમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અને જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમવું હોય, એ ચિહુ પ્રકારમાંહે અનેરો, જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ, બાદર, જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ૧૭. એવકારે-શ્રાવક તણે ધમેં–શ્રી સમકિતમૂલ બાર વતે, એક ચોવીસ અતિચારમાંહી અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂક્ષમ, બાદર, જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ભાવાથ:–આ અતિચાર પાક્ષિક-ચઉમાસીક અને સંવત્સરી પ્રતિક્રમણ વખતે પાંચ આચાર તથા બાર વ્રત વગેરેમાં લાગેલા દોષ દૂર કરવા માટે બોલવામાં આવે છે. તેમાં નીચે જણાવેલી બાબતોમાં લાગતાં દૂષણો બતાવેલાં છે. જ્ઞાનાચાર–જ્ઞાન ભણવું તથા ભણાવવું તે. દશનાચાર–સમક્તિ પાળવું તથા પળાવવું તે. ચારિત્રાચાર–સંયમ પાળવું તથા પળાવવું તે. સમકિત વ્રત–દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરી તે ઉપર શ્રદ્ધા રાખવી. પહેલું વ્રત-જીવ હિંસા ન કરવી તે. બીજું વ્રત -. ખોટું ન બોલવું તે. ત્રીજું વ્રત-ચોરી ન કરવી તે. વ્રત –-બ્રહ્મચર્યને નિયમ કરવો તે. વત-ધન, ધાન્ય તથા સેનું, રૂપું અને ઘર હટ વગેરેનું પ્રમાણ કરવું તે. છ વ્રત –જંદગી સુધી દિશાઓ તથા વિદિશાઓમાં (ખૂણાઓમાં) તથા ઉર્ધ્વ-અધે દિશાઓમાં . જવાનું પ્રમાણ કરવું તે. સાતમું વ્રત –ન ખાવાલાયક પદાર્થો તથા પા૫ વ્યાપારનો ત્યાગ કરવો અને ખાવા પીવા તથા પહેરવા ઓઢવાની ચીજો માટે દરરોજ નિયમ ધારવા તે. આઠમું વ્રત-જેનાથી નકામું પાપ લાગે એવી બાબતો નિંદા વિકથા વગેરે, તથા રમવા જવાની; બાબતો-નાટક, ભવાયા, ગંજી, ચોપાટ વગેરેને ત્યાગ કર. - ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારના આઠ આઠ (૨૪), ૧૨ દરેક વ્રતના, ૧ સમકિતના, ને ૧ સંલેષણના પાંચ પાંચ તે (૭૦) કર્માદાનના (૧૫), તપાચારના (૧૨), વિયચારને (૩), એમ સવ મળી (૧૨૪) અતિચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy