SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દીક્ષા આપવાની વિધિ " तत्तो अ जहाविहवं, पूअं स करेज्ज वीअरागाणं । साहूण य उवउत्तो, एअंच विहिं गुरू कुणइ ॥" पञ्चवस्तु० गा० १२४॥ અથ–સામાયિકસૂત્રાદિ ભયા) પછી પોતાની શક્તિ (વૈભવને અનુસારે દીક્ષાથી શ્રીજિનેશ્વરેની પુષ વિગેરેથી પૂજા કરે, અને સાધુઓને વસ્ત્ર-પાત્રાદિનું દાન કરે, તે પછી (આચાર્યાદિ) ગુરૂ આ વિધિ કરે. (તેને કરાવે.) તે વિધિ સામાચારીના પાઠના આધારે અહીં જણાવીએ છીએ “દીક્ષાથી સારા દિવસે સુન્દર વેષ પહેરીને સમૃદ્ધિ (વરઘોડાદિ આડમ્બર) પૂર્વક ઘરથી નીકળી દીક્ષસ્થાને આવીને શ્રીજિનમન્દિરમાં (નન્દીમાં) પ્રવેશ કરતાં બે હાથની અબ્બલીમાં અક્ષત ભરીને શ્રી જિનમન્દિરને અને સમવસરણ (નન્દી)ને ત્રણવાર પ્રદક્ષિણા દે, પછી ગુરૂ અનુક્રમે પોતાનાં અગે શિરમુખ-હૃદય-નાભિ અને અધોગાત્ર (નાભિ નીચેનો પગ વિગેરે ભાગ)ને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની) આંગળીથી સ્પર્શ કરતા આરોહના (નીચેથી ઉપર જવાના) ક્રમે “ક્ષિ--૩-સ્થા ' એ મન્નાક્ષરેને (મનથી) ઉચારે, પછી અવરોહના (નીચે ઉતરવાના) ક્રમથી એ જ પાંચે અ ને અનામિકાથી સ્પર્શ કરતા ઉત્કમે “હુા-સ્થા-----ક્ષિ” એ મન્ચાક્ષરને મનમાં ઉરચારે અને પુનઃ આરેહના ક્રમે એ અગોને અનામિકાથી સ્પર્શ કરતા ક્ષિ-s-ૉ-સ્વાસ્ા” એ મન્નાક્ષરેને ક્રમશઃ મનમાં ઉચ્ચારે. એમ ત્રણવાર પિતાની આત્મરક્ષા કરીને શિષ્યની પણ (એ વિધિથી ત્રણવાર)- આત્મ રક્ષા કરે. પછી ઉત્તરાસગ્ગ કરીને મુખડેષ બાંધીને ઢીંચણના આધારે બેઠેલા ઉત્તમ ભવ્યશ્રાવકે બે હાથમાં પકડેલા વાસચૂર્ણના થાળમાને ગન્ધ (વાસ) ગુરૂ મન્ને, તે આચાર્ય હોય તે સૂરિમન્નથી, ઉપાધ્યાય પાઠકમન્નથી અને તે સિવાયના બીજા વર્ધમાનવિદ્યાથી૪૪ મન્વે. તેને વિધિ-અનામિકા આંગળીથી પહેલાં તે વાસના થાળમાં વચ્ચે દક્ષિણાવર્ત કરીને ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમાં “ ” અક્ષરનું આલેખન કરે. તે પછી ૧–પૂર્વથી પશ્ચિમ સુધી, ૨-ઉત્તરથી દક્ષિણ સુધી, ૩-ઈશાનથી નૈઋત્ય સુધી અને ૪-અગ્નિકોણથી વાયવ્ય સુધી, એમ ચાર રેખાઓ કરી આઠ આરાવાળું ચક આલેખે, તેના મધ્યમાં મૂળબીજ એટલે “શ્રી” મન્ચને આલેખી આજુબાજુ ત્રણ આવર્સે કરી આવ7ને છેડે ને આલેખ કરે, પછી શ્રી મન્ચાક્ષરની સામે પૂર્વ દિશામાં “માઁ શ્રી નમો અરિહંતા ની સ્થાપના મનથી જ મન્ચાક્ષરનું ચિન્તન કરતે કરે. પછી એ જ રીતે અનિકેણ, દક્ષિણદિશા, નૈઋત્યકેણ અને પશ્ચિમ દિશામાં મા ૪૩-પૂર્વ કાળે જિનમન્દિરે બહારના મણ્ડપમાં વ્યાખ્યાનાદિ આપવાની પ્રથા હતી તે કાળે મન્દિરને પ્રદક્ષિણા આપવામાં આવતી, વર્તમાનમાં અન્યત્ર દીક્ષા અપાય છે ત્યારે કેવળ નન્દીને પ્રદક્ષિણા દેવાય છે. ૪૪-વદ્ધમાન વિધામાં વર્તમાનમાં અનેક પાઠાતરે મળે છે. આ ગ્રન્થની છાપેલી પ્રતના પૃ૦ ૧૭૦ માં નીચે પ્રમાણે લઘુ વદ્ધમાનવિદ્યા કહેલી છે– “आँ नमो अरिहंताणं, आँ नमो सिद्धाणं, आँ नमो आयरियाणं, आँ नमो उवज्झायाणं, आँ नमो लोए सव्वसाहूणं, आँ नमो अरहओ भगवओ महइमहावीरवद्धमाणसामिस्स, सिज्झउ मे भगवई महई महाविज्जा, वीरे वीरे महावीरे जयवीरे सेणवीरे वद्धमाणवीरे जए विजए जयंते अपराजिए अणिहए ઓ હ ૩૪ ૩૪ (૩ર) ” ' s / \ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy