SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શિધા સામાચારીનું સ્વરૂ૫] ૩૦૫ " इयरम्मि विगप्पेणं, जं जुत्तिखमं तहिं ण सेसम्मि । संविग्गपक्खिए वा, गीए सव्वत्थ इयरेण ॥" पश्चाशक १२-गा० १६॥ ભાવાર્થ-ઇતર એટલે પ્રજ્ઞાપકનાં લક્ષણોથી રહિત હોય તેવા ઉપદેશકની સામે વિકલ્પ “તહત્તિ કહેવું, તે આ પ્રમાણે-જે વચન યુક્તિસંગત હોય તેમાં “તહત્તિ” કહેવું અને બીજામાં નહિ હેવું, અથવા અપવાદે સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ ઉપદેશકનાં સર્વ વચનેમાં તહત્તિ કહેવું.૧૯૮ એટલું જ નહિ પણ સુસાધુને અને સંવેગના રંગથી શુદ્ધ દેશના દેનારા સંવિજ્ઞપાક્ષિકને તથાકાર નહિ કરનારને મિથ્યાત્વને ઉદય સમજવો. કહ્યું છે કે વિશsyવર્ષ, નહેર સુમારિવં વિવા વાતો સંમિ તહીં, કતારો ૩ મિછત્ત ” ઘડ્યા. ૨૨-૨૭ળા ભાવાર્થ...જે સંવિજ્ઞ (ભવભીરૂ) હોય તે ઉત્સુત્ર ભાષણનાં કડવાં ફળને જાણતા હોવાથી અનુપદેશ (ઉત્સુત્ર ભાષણ) ન કરે, માટે તેવા સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ સુસાધુઓ હોય તેવાના વચનમાં “તથાકાર નહિ કરો તે મિથ્યાત્વ જાણવું. (કારણ કે- મિથ્યાત્વના ઉદય વિના તેવા શુદ્ધકરૂપકના વચનને અસ્વીકાર ન થાય.) એ ત્રીજી ‘તથાકાર સામાચારી કહી. ૪-૫–આવયિકી–નધિકી=આ બેને વિષય અનુક્રમે “નીકળવું અને પેસવું છે કહ્યું છે કે “બાવસિાયં fl, લ વ શકુંતો પિસહિયં કુરુ દ્રા ” વાવનિ. ભાવાર્થ-મકાનમાંથી નીકળતે “આવહિયં અને પેસતે “નૈધિકી (નિસહિય' કહે. આથી સાધુને વસતિમાંથી કારણે જ નીકળવાનું છે અને તેના કારણે બહાર નીકળતાં જ “આવસહિયં” કહેવાનું હોય છે, એ નક્કી થયું. કહ્યું છે કે— ૧૯૮ “તથાકાર' શબ્દને પ્રયોગ બીજાના વચનને સ્વીકાર કરવા રૂપ છે. કોઈ શુભ શુકન કે જેતિષીએ આપેલું મહૂર્ત વિગેરે ઈષ્ટ વસ્તુને પણ જેવા ભાવથી સ્વીકાર અસ્વીકાર કરવામાં આવે તેવું તેનું ફળ નિપજે છે, કારણ કે વસ્તુ શુભ છતાં સ્વીકાર કરનાર શુભ ભાવથી સ્વીકાર ન કરે તે તેને તે યથાર્થ ફળ આપી શકતી નથી. એકનું એક જિનવચન પણ સાંભળનાર જેટલા આદર પૂર્વક સ્વીકારે તેટલું તેને ફળ આપે છે. આ એક પરમ સત્ય છે, માટે ગુર્નાદિ ઉપકારીઓની હિતશિક્ષા કે શાસ્ત્રવચન વિગેરેને આદર પૂર્વક “તહત્તિ' કહીને સ્વીકાર કરવો જોઈએ. એથી આત્મામાં મિથ્યાત્વની મન્દતા થવા સાથે શ્રદ્ધાનું બળ પ્રગટે છે, એ શ્રદ્ધાથી જળના આક્રમણથી જેમ અગ્નિનું બળ ક્ષીણ થાય તેમ પ્રતિ પક્ષી અજ્ઞાન, મહિ વિગેરેનું બળ ક્ષીણ થાય છે, બીજા મુગ્ધ શ્રોતાઓને પણ તે વચન માનનીય બને છે, ગુરૂ, શાસ્ત્રોને, અને શાસ્ત્રોપદેશક શ્રી તીર્થંકરાદિને વિનય થાય છે, એટલું જ નહિ, પણ સુકતની અનુમોદના, દુષ્કતની નિન્દા વિગેરે અનેક લાભ થાય છે. એમ આ ‘તથાકાર” સામાચારીથી શ્રી જિનાજ્ઞાને પાલન કરવાનું બળ આત્મામાં પ્રગટે છે અને પ્રતિપક્ષી જિનાજ્ઞાને વિરાધવાનું બળ તુટે છે, પરિણામે જીવ ઉત્તરોત્તર જિનાજ્ઞાને પાલક બની અનાદિના અતરંગ શત્રુઓને પરાભવ કરવા સમર્થ બને છે. કલ્પસૂત્રમાં સ્વપ્નના અર્થોને સાંભળતાં બેલાએલા “રશે પણ છું” “ અવરિજે” બિને, ઘડિઝમે“, fiffમે' ઈત્યાદિ શબ્દો આ તથાકારના પ્રયાગરૂપ છે, એ રીતે સ્વીકાર કરવાથી એ અર્થ સત્ય નીવડે છે, ઈત્યાદિ વિશેષ સ્વરૂપ અન્ય ગ્રન્થાથી જાણી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy