SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધિમાં ઓધિક-ઔપગ્રહિક ભેદે અને જિન-સ્થવિર કલ્પમાં તેની સંખ્યા અને મા૫] - ૧૭૩ બીજું ‘ઉપધિ પડિલેહેમિ કહેવા માટેનું સમજવું, ત્રીજું સ્થડિલ પડિલેહવા માટેનું અને શું ગોચરી પ્રતિક્રમણને કાઉસગ્ન કરવાના અવસરે સમજવું. (આ ખમાસમણું આ ક્રમે નહિ પણ જે જે વખતે તે ક્રિયા કરાય તે તે વખતે દેવાનાં સમજવાં. અર્થાત્ કુલ ચાર ખમા દેવાનાં હેય) (૨૮૬). પાક્ષિકાદિ એટલે પાણી વિગેરે પર્વના દિવસે પડિલેહણમાં તેની પૂર્વે બેલવાને પાઠ બોલીને (મોટા શબ્દથી) એક ખમા દઈને પહેલાં પડિલેહણની મુહપત્તિનું, બીજું ખમા દઈને ઉપાધિમુહપત્તિનું અને ત્રીજું ખમા દઈને ઉપધિનું પડિલેહણ કરે. (૨૮૮) પહેલાં પડિલેહણની મુહપત્તિ પડિલેહીને પાત્રોનાં ઉપકરણને (ગુર છો-ચરવળી-ઝોળી-પડલારજસ્ત્રાણને) પડિલેહે, તે પછી વિધિથી પાત્ર પડિલેહીને એક બાજુ નિરુપદ્રવ સ્થાને મૂકે, પછી ગુરૂની સમક્ષ અનુક્રમે ગ્લાનની, નવદીક્ષિતની અને પિતાની ઉપધિનું પડિલેહણ કરે.૧૩૫(૨૮૯) તે પછી પાટ, પાટલા, માત્રાદિની કુંડીઓ, વિગેરે શેષ વસ્તુઓનું પડિલેહણ કરે, એ સાંજના પડિલેહણને વિધિ જણાવ્યું. હવે પ્રતિલેખના ઉપધિની કરવાની હોવાથી પ્રસંગોપાત ઉપધિનું સ્વરૂપ કહીયે છીએ. ઉપધિના ૧–ઔઘિક અને ૨–ઔપગ્રહિક, એમ બે પ્રકારો છે, તે દરેકના પણ સંખ્યાથી અને માપથી એમ બે બે પ્રકારો છે. કહ્યું છે કે – “ગોરે ૩૦મ જ, કુવિ ડી૩ હો જાય ! एकेकोवि य दुविहो, गणणाए पमाणतो चेव ॥” ओघ नियुक्ति ६६७॥ ભાવાર્થ–ઘઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ, એમ ઉપધિના બે પ્રકારો છે, તે એક એક પણ ગણનાથી અને પ્રમાણથી એમ બે બે પ્રકારે છે. તેમાં જે ઉપધિ નિત્ય પાસે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે “ઔધિક અને કારણે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે “ઔપગ્રહિક એમ ભેદ સમજ. કહ્યું છે કે __ "ओहेण जस्स गहणं, भोगो पुण कारणा स ओहोही। વસ ૩ સુવિ ળિયા, રાજયો સો વાહિશો ”પન્નવસ્તુ–૮રૂદ્રા ભાવાર્થ-જે પાત્ર-વઆદિ વસ્તુ સામાન્યતયા હંમેશાં પાસે રાખીને ગોચરીભ્રમણાદિ તે તે કાર્ય પ્રસગે વાપરવામાં આવે તે ઘઉપાધિ અને જેને રાખવાનું વાપરવાનું અને બને ધુમસ, ઠાર, વિગેરે વિશિષ્ટ કારણે જ કરી શકાય તે પાટ-પાટલા વિગેરે ઔપગ્રહિક ઉપાધિ કહી છે. તે બેનું એક, બે, વિગેરે સંખ્યાથી પ્રમાણ તે “ગણના પ્રમાણ અને લમ્બાઈ, પહોળાઈ ન્હાનું, મોટું વિગેરે માપથી પ્રમાણ તે “પ્રમાણ પ્રમાણ જાણવું. તેમાં ગણના પ્રમાણથી જિન કપિઓને ઘઉપધિ બાર પ્રકારની, સ્થવિરેને ચૌદ પ્રકારની અને સાધ્વીઓને પચીસ પ્રકારની કહી છે, એથી વધારે જે કાળે જરૂરી કારણે જે જે રાખે-વાપરે તે ઔપગ્રહિક ઉપાધિ કહેવાય છે. કહ્યું છે કે ૧૩૫-આ ગાથાઓમાં બતાવેલ ઢમ વર્તમાનમાં તેવા રૂપમાં જોવામાં આવતા નથી. સામાચારીના બેને ગે કે પરાવર્તનને વેગે ભિન્નતા જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy