SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - દર | [ ધ સ ભાવ ૧૦ ૨-ગા ૬૯ શ્રાવકના અગીઆર પ્રતિમાઓ કહી છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (પૃ૦ ર૭૭માં કહ્યા તે) શંકાદિ પાંચ દેથી રહિત, (પૃ. ૧૧૧ માં કહેલાં) પ્રમાદિ પાંચ લક્ષણોથી સહિત, તથા (પૃ ૧૨૫માં કહેલાં) સ્વૈર્ય વગેરે પાંચ ભૂષણથી ભૂષિત, (પૃ૧૨૮માં કહેલા) મોક્ષમાર્ગરૂપ મહેલની પીઠિકા આદિ૫ “સમ્યગદર્શન (સમક્તિ),તેનું ભય-લેભ-લજજા વગેરે વિન્નોથી જરા પણ અતિચાર સેવ્યા વિના નિરતિચારપણે એક મહિના સુધી સતત પાલન કરવું ( અર્થાત ભયાદિને અહ૫ પણ અતિચાર ન લગાડવા) તે પહેલી ‘દનપ્રતિમા એક મહિનાની જાણવી. એ દર્શનપ્રતિમામાં જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શનનું પાલન કરવા સાથે અખંડિત અને અવિવાહિત (અતિક્રમાદિ દે સેવ્યા વિના નિરતિચારપણે) શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવું, તે બે મહિનાની બીજી “વતપ્રતિમા' જાણવી. પાછલી બે પ્રતિમામાં જણાવ્યા પ્રમાણે સમતિનું અને વ્રતનું નિરતિચારપણે પાલન કરવા ઉપરાન્ત ત્રણ મહિના સુધી દરરોજ (સવાર સાંજ) સામાયિકના દે ટાળીને અપ્રમત્તપણે સામાયિક કરવું, તે ત્રણ મહિનાની ત્રીજી “ સામાયિક પ્રતિમા’ કહી છે. પહેલી ત્રણેયના પાલન સાથે ચાર મહિના સુધી (પૃ. ૨૪૯ માં જણાવેલી) દરેક ચતુષ્પ માં સંપૂર્ણ–આઠ પ્રહરના પોષધનું (નિરતિચારપણે) અખંડ પાલન કરવું, તે ચાર મહિનાની ચેાથી “પોષધપ્રતિમા’ જાણવી. એ ચારેયના પાલનપૂર્વક પાંચ મહિના સુધી પ્રત્યેક ચતુષ્પવમાં, ઘરની અંદર, બારણામાં કે ચતુષ્પથ(ચોટા)માં, પરીષહ તથા ઉપસર્ગો આવે તે પણ ચલાયમાન થયા વિના આખી રાત્રિ પૂર્ણ થતાં સુધી કાર્યોત્સર્ગ (કાઉસ્સગ્ગ)માં રહેવું તે પાંચ મહિનાની પાંચમી “પ્રતિમા (કાયેત્સ નામની પ્રતિમા કહી છે. એમ પછીની દરેકમાં પણ પૂર્વની સઘળી પ્રતિમાઓનું પાલન સમજી લેવું. પ્રથમની પાંચના પાલન સાથે છ મહિના સુધી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું, તે છ મહિનાની છઠ્ઠી “અબ્રહ્મવજનમ્રચય)પ્રતિમા, પત એના પાલન પૂર્વક સાત મહિના સચિત્ત આહારને ત્યાગ તે સાતમી સાત મહિનાની‘સચિત્તવજે પ્રતિમાએ સાતેયના પાલનપૂર્વક આઠ મહિના સુધી (બીજા કાર્યોમાં જ નહિ, કિન્તુ આહારમાં પણ અથત તમામ કાર્યોમાં) સ્વયં (છકાય જીવોને) આરંભ ન કરો તે આઠ મહિનાની આઠમી આરંભવર્જનપ્રતિમા આઠેયના પાલનપૂર્વક નવ મહિના સુધી નેકરે વગેરે બીજાઓ દ્વારા પણ આરંભ ન કરાવે, તે નવમી “ગવર્જનમતિમા;” નવેયના પાલન સાથે દશ મહિના સધી બીજાઓએ પ્રતિમા ધારીને-ઉદેશીને વિના પ્રેરણાએ પણ તૈયાર કરેલાં (ઉદ્દિઢ) આહાર આદિ ન લેવાં, તે દશ મહિનાની દશમી “ઉજિનપ્રતિમા અને એ દશેયના પાલન સાથે અગીઆર મહિના સુધી સ્વજનાદિના સંબંધને તજીને, “રજોહરણ વગેરે સાધુવેષને ધારણ કરીને અને કેશને લેચ કરીને કુળ” વગેરે સ્વાધીન સ્થાનમાં રહેવું તથા “ઇતિમાપાશ્રય મોખાણા, મિરર ' અર્થાત–પ્રતિમાપારી શ્રાવકને ભિક્ષા આપે –એમ કહીને આહાર આપનારને “ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા વિના જ, આહાર મેળવીને સાધુની જેમ ઉત્તમ સમ્યગ આચરને પાળવા, તે અગીઆર મહિનાની અગીઆરમી “શ્રમણભૂતપ્રતિમા' કહ્યું છે કે– “ दंसणपडिमा णेया, सम्मत्तजुत्तस्स जा इहं बोंदी। જર્જરિયા, મિઝરણોસમમવા ” (તિરંવારા છે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy