SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ = = - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - – પ્રઃ ૪-જન્મ-: પૌષધશાલાજ કરાવવું: શ્રાવકની ૧ ડિમા ] સ્થાન, સંયમની સાધના માટે નિર્દોષ અને ચોગ્ય હોવાથી અવસરે અવસરે સાધુઓને ઉતરવા પણ આપવું, કારણ કે-સાધુને ઉતરવા મકાન આપવાનું મહા ફળ છે. કહ્યું છે કે " जो देह उवस्सयं जह-वराण तवणियमजोगजुत्ताणं । तेणं दिण्णा वत्थन्न-पत्तसयणासणविगप्पा ॥१॥" ભાવાર્થ –“જે આત્મા તપ-નિયમ અને જ્ઞાનાદિ શુભ યોગેથી યુક્ત એવા મુનિવરને ઉપાશ્રય (આશ્રય) આપે છે, તેણે (વસ્તુતઃ સ્થાન જ નહિ પણ) વસ્ત્ર-અન-પાત્ર-શયન વગેરે સઘળું આપ્યું.” (કારણ કે-ઉપાશ્રયને આધારે જ આહારાદિ સઘળાને પણ ઉપભોગ કરી શકાય છે.) માટે પૌષધશાળા કરાવવી એ શ્રાવકનું કર્તવ્ય છે. જન્મકૃત્યની દ્વારગાથાને અર્થ પૂર્ણ થ. શ્રાદ્ધવિધિમાં તે (ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગની સાધના માટે) રહેવાનું ઘર બંધાવવું (વિદ્યાભ્યાસ કરે, લગ્ન કરવાં તથા મિત્ર વગેરેને સંગ્રહ કર.) ઈત્યાદિને પણ જન્મકૃત્યમાં ગણેલાં છે, પરંતુ તે કાર્યોને ગૃહસ્થના સામાન્ય ધર્મ તરિકે અમે (પૃ. ૧૦ માથી) ગૃહસ્થના સામાન્ય ધર્મના અધિકારમાં જ યથાસ્થાને જણાવ્યાં છે. તે ઉપરાન્ત “વત ગ્રહણ કરવાં વગેરે જન્મકૃત્યેનું વર્ણન પહેલાં કરેલું હોવાથી અહીં જણાવતા નથી. હવે “પ્રતિમાઓ વહન કરવી” શ્રાવકને વિશેષ ઉપગી હેવાથી તેને જન્મકૃત્યથી જુદી જ જણાવીએ છીએ. એ મુજબ જન્મકૃત્યને અધિકાર અહીં પૂર્ણ થયો. હવે પ્રતિમાઓનું વર્ણન કરે છે– -“ વિધિના સનાથન, ગતિમાનાં પાન | यासु स्थितो गृहस्थोपि, विशुद्धयति विशेषतः ॥६९॥" મૂલાથ–“જેનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ છતાં વિશેષતયા વિશુદ્ધ થાય છે, તે દર્શન આદિ શ્રાવકની (અગીઆર) પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું.” ટીકાને ભાવાર્થ-“ “સમ્યફવને નિર્દૂષણ રીતિએ પાળવાના અભિગ્રહ રૂપ, અથવા તે સમ્યકત્વથી ઓળખાતા અનેક અભિન્નડ વિશેષ રૂપે દર્શન નામની પ્રતિમા જેમાં પ્રથમ નંબરે છે, તે શ્રાવકધર્મની અગીઆર પ્રતિમાઓનું દશાશ્રતસ્કંધ' વગેરે આગમામાં જણાવેલા વિધિ પ્રમાણે ઉત્તમ રીતિએ પાલન કરવું, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે–એમ પૂર્વની સાથે સંબંધ જાણવે. આ પ્રતિમાઓ(અભિગ્રડે)ના પાલનથી થતે લાભ જણાવે છે કે-એ પ્રતિમામાં રહેલે (પાલન કરત) આત્મા સાધુપણું નહિ પામવા છતાં વિશેષ એટલે સામાન્ય શ્રાવક કરતાં અસંખ્યાતગુણી ગુણશ્રેણિ વડે આત્મશુદ્ધિ કરે છે. તાત્પર્ય કે-(બીજા શ્રાવક કરતાં) પ્રતિમાધારી શ્રાવક અસંખ્યાતગુણ પાપકર્મોને ક્ષય કરે છે. ક્યી પ્રતિમાઓ? તે માટે સબોધ પ્રકરણમાં કહ્યું છે કે – વંશ વય સામગ્ર, સહ પરિમા મદિરા સામડિ-િવળ સમાપૂઈ શા” (તિમા૦૮૮) ભાવાર્થ–“દર્શન, વ્રત, સામાયિક, પૌષધ અને પ્રતિમા (કાઉસ્સગ્ગ)–એ પાંચના પાલનરૂપ અભિગ્રહ વિશેષ, તે અનુક્રમે “દર્શન-વ્રત-સામાયિક-પૌષધ અને પ્રતિમા નામની પાંચ પ્રતિમાઓ, અબ્રહ્મ-સચિત-આરંભ-નોકર અને ઉદ્દિભેગના ત્યાગરુપ અનુક્રમે તે તે નામની છથી દશ સુધી (પાંચ) પ્રતિમાઓ, અને અગીઆરમી “શ્રમણભૂત” નામની પ્રતિમા જાણવી.” એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy