________________
૬૦૨
પ્ર. ૪-શ્રાવકનાં વાર્ષિક કૃત્ય ] જિનપ્રતિમા રૂપ ચયને દેખે ત્યાં તેઓની સામે તે આલોચનાદિ કરવું કલ્પ, જે તેવા સમ્ય ભાવિત ચિત્યને પણ ન દેખે, તો ગામ કે નગરની બહાર બે હાથે અંજલિથી મસ્તકે આવત કરીને (ભમાવીને) આ પ્રમાણે કહેવું કપે કે-“આવા આવા મારા અમુક અપરાધે છે, હું આટલી ( અમુક ) વાર અપરાધી થયે છું—એ પ્રમાણે કહીને અરિહંત તથા સિદ્ધોની સમક્ષ આલોચના કરે, પ્રતિક્રમણ કરે, યાવત્ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે–એમ કહું છું.”
માટે જ યદિ એવા ગીતાર્થ આલોચનાચાર્યને ગ દુર્લભ હોય, તે કાલથી બાર વર્ષ અને ક્ષેત્રથી સાત જન સુધી શેધવા, પણ અગીતાર્થની પાસે આલેચના કરવી નહિ. કહ્યું છે કે
" सल्लुद्धरणनिमित्तं, गीअत्थगवेसणा उ उक्कोसा।
__ जोअणसयाई सत्त उ, बारसवरिसाई कायव्वा ॥१॥" ભાવાર્થ-“શલ્ય અતિચારો)ની શુદ્ધિ માટે ગીતાર્થની શોધ (ક્ષેત્રથી) ઉત્કૃષ્ટ સાત સે જન સુધી (અને કાળથી) બાર વર્ષ પર્યક્ત કરવી.”
“રોના ગાળામાં જણાવેલાં બીજાં વિશેષણેને છેડીને, અહીં માત્ર “ગીતાર્થ ની શોધ કરવી-એમ કહ્યું તે ત્યાં કહેલા સકલગુણયુક્ત આલેચનાચાર્યને વેગ ન મલે, તે માત્ર સંવિગ્ન પણ ગીતાર્થની પાસે પણ આલેચના તે કરવી જ, એમ જણાવવા માટે છે.
એ બીજું દ્વાર કહ્યું. હવે ત્રીજું દ્વાર “ક્રમપૂર્વક આચના કરવી તેને ક્રમ જણાવે છે. ૩. આલોચના–આવનાદિ અનકમ-એને માટે આલોચના પંચાશકમાં કહ્યું છે કે
" दुविहेणणुलोमेणं, आसेवणविअडणाभिहाणेणं ।
બાવાળુછોનં, દં કદાશિવં વિગ શા” " आलोयणाणुलोम, गुरुगवराहे उ पच्छओ विअडे ।
jigMા સમે, ગદ ગદ છg ૩ |રા (૦૨૭–૧૮) ભાવાર્થ-“વ્યાખ્યા એ પ્રમાણે છે કે–“એક “આસેવનાના'=સેવાયેલા અતિચારના કમથી અને બીજી “વિકટના =આલેચનાના (પ્રાયશ્ચિત્તના) ક્રમથી–એમ બે કમથી આલેચના કરવી. તેમાં આવનાક્રમ જે અતિચારો જે ક્રમથી કેવી રીતિએ સેવ્યા હોય તે કમથી તેવી રીતિએ તેની આલોચના કરવી તે, અને આલોચના(વિકટના ક્રમ એવો છે કે-મોટા અપરાધોની આલેચના ન્હાના અપરાધની પછી કરવી, તે “TI =જૈન સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે પંચક–દશક–પંચદશક વગેરે કમથી કરવી, અર્થાત્ જે અપરાધેનું પ્રાયશ્ચિત્ત ઉત્તરોત્તર વધારે હોય તે તે અપરાધને પછી પછી કહેવા. અહીં હાના અપરાધમાં “પંચક તેથી મહેરામાં “દશક” તેથી પણ મહેરામાં “પંચદશક’ વિગેરે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, આ “પંચક આદિ પ્રાયશ્ચિત્તની સાંકેતિક સંજ્ઞાઓ છે. આ બે ક્રમમાં આલોચના કરનાર (અપરાધી) પિતે ગીતાર્થ હોય તે આલોચનાના ક્રમથી જ આલોચના કરે. કારણ કે તે જાણે છે (અર્થાત પિતે ગીતાર્થ હોવાથી ક્યા અપરાધનું પ્રાયશ્ચિત્ત શેડું, કયા અપરાધનું વધારે, વગેરે જાતે હોવાથી તે આ ક્રમથી આલોચના કરી શકે, માટે તેણે એ બીજા નંબરના ક્રમથી કરવી, પણ આલેચક ગીતાર્થ ન હોય તે આવનાના (જે ક્રમે અપરાધે થયા હોય તે) કમે આલોચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org