SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩-શ્રાવકનાં વાર્ષિક કૃત્ય ] એ છે) એકાસણુને તપ, પગે ચાલતા જવું વગેરે અભિગ્રહ કરવા, વાહન વગેરે સામગ્રી હોય તે પણ તીર્થયાત્રા “પગે ચાલીને કરવી, વગેરે સઘળું ઉચિત છે જ. કારણ કહ્યું છે કે " एकाहारी दर्शन-धारी यात्रामु भशयनकारी। વિપરિણા, પાસ કરવા જ શ” (ગ્રાવિધિ ના ૫,ટીવા) ભાવાર્થ-“તીર્થયાત્રામાં (૧) એક આહારી, (૨) દર્શનધારી, (૩) ભૂમિશયનકારી, (૪) સચિપરિહારી. (૫) પાદચારી અને (૬) બ્રહ્મચારી બનવું. એમ છઃ “ી પાલવી તે પ્રથમ કર્તવ્ય છે.” પછી રાજાની અનુમતિ મેળવી, શક્તિ પ્રમાણે યાત્રા માટે યુક્તિવાળાં (સાથે રાખી શકાય તેવાં) દેવાલાને તૈયાર કરવા, અનેક જાતિના વસ્ત્રમંડપ (તંબૂ-રાવઠીઓ) વગેરે રહેવાનાં સાધન, મેટાં કડાયાં વગેરે રસોઈનાં સાધને, ચાલતા કૂવા–સરોવર (અર્થાત્ પાણી સાથે રાખવાનાં ટાંકાં વગેરે સાધન), ગાડાં વગેરે અનેક જાતિનાં વાહને, વગેરે સામગ્રી તૈયાર કરવી. પછી બહુમાન પૂર્વક ગુરૂને, શ્રીસંઘને તથા સ્વજનવર્ગને નિમંત્રણ કરવું. તદુપરાંત અમારિ પ્રવર્તાવવી (હિંસાનાં કાર્યો બંધ કરાવવાં.), શ્રીજિનમંદિરમાં મેટી પૂજા વગેરે મહોત્સવ મંડાવવા, દીન-રંક વગેરેને દાન આપવું અને જેઓને સાથે આવવામાં ધન-વાહન વગેરેની સગવડ ન હોય તેવા નિરાધારોને તે તે સામગ્રી આપવાની ઉદઘોષણું કરાવીને તીર્થયાત્રા માટે ઉત્સાહિત કરવા. વળી શ્રીસંઘની રક્ષા માટે તેડાવીને બખ્તર–અંગ, (તથા પ્રકારને પોષાક) વગેરે સામગ્રીનું દાન કરી સન્માનપૂર્વક અનેક સુભટને સાથે રાખવા, ગીત-નૃત્ય-વાત્ર વગેરે તૈયાર કરાવવાં (મેળવવાં), ઈત્યાદિ સર્વ સામગ્રી તૈયાર કરીને શુભ દિવસે પ્રસ્થાનરૂપ મંગળ કરવું, અને ત્યાં સમગ્ર સમુદાયને વિશિષ્ટ ભોજન, તાબૂલ વગેરેથી જમાડીને તથા ઉત્તમ વસ્ત્રો વગેરેની પહેરામણું કરીને, તેમાંના પ્રતિષ્ઠાવંત-ધર્મીઠ-પૂજ્ય (વડીલ) અને અતિ ભાગ્યવંત એવા પુરૂષને હાથે (શ્રીસંઘ પાસે) સંઘપતિપણાનું તિલક કરાવવું. પછી ત્યાં શ્રીસંઘની પૂજા મહત્સવ કરવો અને ( પ્રયાણ પછી) માર્ગમાં શ્રીસંઘની સારી રીતિએ સંભાળ કરવી, ગામે ગામે અને નગરે નગરે શ્રીજિનમંદિરોમાં નાત્રપૂજા-વજનું દાન-ચૈત્યપરિપાટી’ વગેરે સંદર મહેન્સ તથા (યથાશકિત) જિર્ણોદ્ધાર પણ કરાવવા, એમ સઘળી ચિંતા કરવાપૂર્વક જ્યારે શ્રીતીર્થે પહેચાય ત્યારે દરથી તીર્થનાં દર્શન થતાં જ રત્ન, મોતી વગેરેથી તીર્થને વધાવવું, સ્તુતિ કરવી અને ઉત્તમ લાડુ વગેરેની સંભનિકા (હાણી–પ્રભાવના) કરવી, | તીર્થભૂમિએ પહોંચ્યા પછી ત્યાં અષ્ટપ્રકારી વગેરે મહાપૂજા ભણાવવી, વિધિપૂર્વક સ્નાત્રમ. હેરાવ કરે, તીર્થમાળ પહેરવી, ઘીની ધારા દેવી, નવ અંગે શ્રીજિનપૂજન કરવું, રેશમી વગેરે કિંમતી માટે ધ્વજ ચઢાવ, શત્રિજાગરણ કરવું, ગીત-નૃત્ય વગેરે ઉત્સવ કરવા, તીર્થની આરાધનાને ઉદ્દેશીને ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ વગેરે યથાશક્તિ તપ કરે. ભિન્ન ભિન્ન જાતિનાં ફળવૈવેદ્ય વગેરે વસ્તુઓની ભેટ કરવી, પહેરામણી મૂકવી, જેનારને આશ્ચર્ય ઉપજે તે સંદરદર્શનીય ચંદુઓ (ભગવંતની ઉપર) બાંધ, દીવા માટે તેલ (કે પરેલ)-ધી, પૂજા માટે દેતી-કેશર-ચંદન–અગુરૂ–પુષ્પની ચંગેરી વગેરે સમસ્ત પૂજાની સામગ્રી ભેટ કરવી, નૂતન દેહરી વગેરે બનાવરાવવી, સુતાર વગેરે કારીગરોને સત્કારવા, ત્યાં થતી આશાતનાઓ દૂર કરાવવી, તીર્થની બીજા પ્રત્યેમાં દર્શનધારીને બદલે આવશ્યકારી હેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy