________________
-
પ્ર૦ ૩-શ્રાવકનાં ચામાસો કર્તાવ્યો |
૫૧ (કરા)માં ઈયળો થતી હોવાથી તેનો ત્યાગ કરવો. રાંધેલો વાસી આહાર, દ્વિદળ (કાચા ગેરસ માથે કાળ) અને પૂરીઓ વગેરે, પાપડ-વડીઓ વગેરે, સુકાં શાક (સુકવણુ), તાંદળજા વગેરે પાંદડાંનાં (ભાજીનાં) શાક, નાગરવેલનાં પાન, કે પરૂં (ગોળ-કાચલાં વગેરે), ખારેક, ખજૂર, કાશ, (કાચી) ખાંડ અને સુંઠ વગેરે, એ દરેકમાં લીલ-ફગ-કુંથુઆ-ઈયળો વગેરે થવાને સંભવ હોવાથી તેનો ત્યાગ કરે, કદાચ તે વસ્તુઓની ઓષધાદિ વિશેષ કાર્યોમાં (તેના વિના નિવહ ન થાય તેવી) આવશ્યક જરૂર પડે તો તેને સારી રીતિએ જે-તપાસીને જયણાપૂર્વક ઉપગ કરે તથા (પૃ. ૩૦૭ માં કહેલાં) પંદર કાંદાનને અને ઘણા આરંભવાળાં કઠેર કોને પણ ત્યાગ કરે. ( આઠમામાં) જળક્રીડા (તળાવ, નદી વગેરેમાં સ્નાનાદ્રિ) ન કરવા વગેરેને નિયમ કરે, અને “નાન કરવું, તેલ વગેરે જેવાં કે રાંધવું” ઈત્યાદિમાં પણ પરિ માણ કરવું. (એમ પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતના પાલન-રક્ષા માટે પ્રયત્નશીલ થવું.).
દેશાવકાશિક, સામાયિક અને પૌષધ–એ ત્રણની વૃદ્ધિ કરવી, અર્થાત દિવસોમાં તે વિશેષ વિશેષ કરવા અતિથિસંવિભાગ હંમેશાં કર, તેમ ન બને તે તપના પારણે અવશ્ય કર (એમ ચાર શિક્ષાત્રની આરાધના કરવી.).
ઉપરાન્ત શક્તિ પ્રમાણે ઉપધાન તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઈ તપ કે પંદર ઉપવાસ, સેલ ઉપવાસ, માસક્ષમણ વગેરે તપશ્ચર્યા વિશેષતયા કરવી રાત્રે ચઉવિહાર કે છેવટે તિવિહારનું પણ પચ્ચ ફખાણ કરવું. દીન-અનાથ વગરે દુઃખીઆને સહાય કરવી, ઇત્યાદિ ચાતુર્માસિક કર્તવ્ય જાણવાં.
આ અર્થને જણાવનારી માસીના અભિગ્રહના વર્ણનની પૂર્વાચાર્યની રચેલી ગાથાઓ (શ્રાદ્ધવિધિની ગાથા ૧૨મીની ટીકામાં) નીચે પ્રમાણે છે,
" चाउम्मासिअभिग्गह, नाणे तह दंसणे चरित्ते अ। तवविरिआयारम्मि अ, दवाइ अणेगहा हुंति ॥१॥ परिवाडी सज्झाओ, देसणसवणं च चिंतणी चेव । सत्तीए कायव्वं, सिअपंचमि नाणपूआ य ॥२॥ संमजणोवलेवण, गूहिलिया मंडणं च चिइभवणे। चेइअपूआवंदणકલાકનો પણ વધારે કરવો તે ઉચિત નથી. ટોપરાના આખા ગળામાં પણ ફાટે પડતી હેવાથી, તેમાં હવાનો સંચાર થતાં છવોત્પત્તિ થતી જોવાય છે, માટે તે ચોમાસામાં વાપરવા ઉચિત નથી. સેપારીબદામ-શ્રીફળ વગેરે પણ તે જ દિવસનાં ભાંગેલાં વાપરવાને વ્યવહાર છે. પત્ર-શાક જે કે વર્ષો માસીમાં વર્જવાનું કહ્યું છે, તે પણ ફાગણ માસીથી તેના ત્યાગનો વ્યવહાર ચાલુ છે. વિશેષ સ્વરૂપ ગીતાર્થોથી જાણી લેવું. માત્ર વાદિ ઇન્દ્રિયની પરાધીનતા સિવાય જ્ઞાનીઓએ મહા પરિશ્રમે જાળવેલા માર્ગને તેડવાનું અન્ય કોઈ કારણ જણાતું નથી. “ વ્યવહારધર્મ એટલે યોગ્ય મર્યાદાનું પાલન.' તેના પાલનથી જ નિશ્ચયધર્મનું બળ પ્રાપ્ત થાય છે, માટે નિયમને સમજનારા જ્ઞાનીઓ નિશ્ચયધર્મ કરતાં પણ વ્યવહારધર્મની કિંમત વધારે સમજે છે. જેઓને વ્યવહારધર્મ નિર્જીવ જેવો લાગે છે, તેઓ નિશ્ચયધર્મને પામ્યા કે સમજ્યા પણ હોય તે માનવું અઘટિત છે. સાધુધર્મમાં નિશ્ચયધર્મથી ભક્ષ્ય છતાં વ્યવહારધર્મથી કેટલીય વસ્તુઓને અભક્ષ્ય માનીને છોડવામાં આવે છે. સાધુએનું કાર્ય પૂર્વપુરુષોએ બાંધેલા વ્યવહારમાર્ગને પાળવાનું અને પળાવવાનું છે, કારણ કે-એ વ્યવહારમાર્ગની રક્ષાથી જ નિશ્ચયધર્મને પામીને જીવો કલ્યાણ સાધી શકે છે. અહીં એવું ન સમજવું કે-નિશ્ચયધર્મના ધ્યેયને ચૂકીને પણ વ્યવહારધર્મને બળ આપવું, માત્ર વિશિષ્ટ જ્ઞાનીઓના વિરહમાં વર્તમાનકાળે વ્યવહારધર્મની પ્રધાનતા છે. તેને કઈ રીતિએ ઈન્કાર કરી શકાય તેમ નથી, એ જ તાત્પર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org