SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ પ્ર૦ ૩-દિનચર્યા-ઇર્યામાં મિચ્છામિ દુક્કડના પ્રકારે ]. દરેકને અહીં જે “મિચ્છા મિ દુક્કડે” દેવાય છે, તેના આ પ્રમાણે ૧૮૨૪૧૨૦ ભેદ થાય છે. નરકમાં સાત પ્રકારના નારકીઓના દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બે બે પ્રકારે ગણતાં ચૌદ પ્રકારના નારક છે; તિર્યંચમાં–પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ અને સાધારણ વનસ્પતિ, એ દરેકને સૂક્ષ્મ તથા બાદર ગણતાં દશ, દશને વળી પર્યાપ્તા અને અપર્યાપ્ના ગણતાં ૨૦ અને તેમાં પ્રત્યેક વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એ ચાર સૂક્ષ્મ હતા નથી–બાદર જ હોય છે, માટે તે દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે બે ગણી રમઠ પ્રકારો મેળવતાં ૨૮ થયા. તેમાં પંચેન્દ્રિય તિર્યંચના જળચર-સ્થળચર–ખેચર-ઉપ પરિસર્ષ અને ભુજપરિસર્પ,-એ પાંચના ગર્ભજ અને સંમૂઈિમ ગણતાં દશ, અને દેશના પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે પ્રકારે ગણતાં ૨૦ થાય તે મેળવતાં કુલ ૪૮ પ્રકારના તિર્યંચગતિના છ થયા. મનુષ્યમાં–પાંચ ભરત, પાંચ એરવ્રત અને પાંચ મહાવિદેહ-એ પંદર કર્મભૂમિઓ; પાંચ હિમવંત, પાંચ હિરણ્યવંત, પાંચ હરિ. વર્ષ, પાંચ રમ્ય, પાંચ દેવકુફ અને પાંચ ઉત્તરકુરૂ-એ ત્રીશ અકર્મભૂમિએ (યુગલિક ક્ષેત્રે) તથા હિમવંત અને શિખરી નામના બે પર્વતના લવણસમુદ્રમાં રહેલા ચાર છેડાઓની બલ્બ મળી આઠ દાઢાઓ (શાખાઓ) ઉપર પ્રત્યેકમાં સાત સાત દ્વીપ છે તે કુલ છપ્પન અંતરદ્વી. એ પ્રમાણે કુલ ૧પ૩૦+૫૬=૧૦૧ મનુષ્યક્ષેત્રે છે, તેમાં રહેલા પર્યાપ્તા અને અપર્યાપ્તા ગર્ભ જ તથા અપર્યાપ્તા સમુઈિમ (મનુષ્ય જે ગર્ભજ મનુષ્યના સત્તર પ્રકારનાં અશુચિ સ્થમાં ઉપજે છે અને અપર્યાપ્તા જ મરે છે તે) એમ ત્રણ ત્રણ ભેદ ગણતાં કુલ ૧૦૧૪૩=૩૦૩ પ્રકારના મનુષ્ય થયા: દેવામાં–દશ પ્રકાર ભવનપતિના તથા સેલ વ્યંતર (અને વાણથંતર)ન, ચંદ્રસૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા, એ પાંચ (મનુષ્યલોકમાં ફરતા છે તે ) ચર અને (મનુષ્યક્ષેત્રની બહાર અવસ્થિત છે તે) સ્થિર, એમ બે પ્રકારો ગણતાં કુલ દશ પ્રકારો તિષીના; વિમાનિકમાં બાર દેવલોકના ૧૨, નવ પૈવેયકના ૯, પાંચ અનુત્તર વિમાનના ૫ અને નવ પ્રકારના લોકાતિકના ૯, તેમજ (પહેલા-બીજા દેવલોક નીચે, ત્રીજા દેવલેક નીચે અને છઠ્ઠા દેવલોક નીચે રહેનારા એમ) ત્રણ પ્રકારના કિબિષિઆ દેના ૩, ભરત અને અરવત નામના દશ ક્ષેત્રમાં આવેલા દશ વૈતાઢય પર્વત ઉપર (તેની બીજી મેખલામાં) રહેનારા “અન્ન-પાણસયણ-વ-લેણુ-પુષ્પ-ફળ-પૂર્વ—બહુફળ અને અવિપત્તિ ” એ દશ પ્રકારના તિર્યગજાભક દેના ૧૦ તથા પંદર પ્રકારના પરમાધામી દેના ૧૫; એમ કુલ (૧૦+૧૬+૧૦+૧૨૯૫«+૩+૧૦ +૧૫= ) ૯૯ પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા બબ્બે ગણુતાં દેવના પ્રકારે ૧૯૮ થયા. એમ નારકી ૧૪, તિર્યંચ ૪૮, મનુષ્ય ૩૦૩ અને દેવે ૧૯૮ મળી છના કુલ ૫૬૩ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા છે, તેને ઈરિયાવહિ સૂત્રમાં કહેલા “મા વગેરે વિરાધનાના દશ પ્રકારથી ગુણતાં પ૬૩૦ થયા, તે પણ કઈ રાગથી અને કેઈ દ્વેષથી હણે, માટે બેથી ગુણતાં ૧૧૨૬૦ થયા; તેને પણ મન, વચન અને કાયા-એ ત્રણ ગથી ગુણતાં ૩૩૭૮૦ થયા, તેને કરવું, કરાવવું અને અનુમેદવું-એ ત્રણ કરણેથી ગુણતાં ૧૦૧૩૪૦ થયા તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળે ગુણતાં ૩૦૪૦૨૦ થયા અને તેને 1-અરિહંત, ૨-સિદ્ધ, ૩-સાધુ, ૪-દેવ, પ-ગુરૂ અને ૬-આત્મા–છની સાક્ષીએ “મિચ્છા મિ દુક” દેવાય, માટે છથી ગણતાં કુલ ૧૮૨૪૧૨૦ ભેદે થયા એ રીતિએ જીવના ૫૬૩ ભેદે અને “મિચ્છા મિ દુક્કડં” ના પ્રકારોને એ જણાવનારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy