________________
૨૬૪.
[ ધ૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા ૩૯ ભાવાર્થ_“હે મહાન ગુણરત્નથી સુશોભિત દેહવાળા પરમ ગુરુ! મને આજ્ઞા આપી, પરિસી પૂર્ણ થઈ છે, હું રાત્રિમાં સંથારે સુવું? (૧) મને સંથારવા (શયન) માટે આજ્ઞા આપો! કેવી રીતિએ શયન માટે, તે જણાવે છે. “ડાબા હાથનું ઓશીકું કરીને, એટલે કે-માથા નીચે ડાબે હાથ મૂકીને, ડાબે પાસે–પડખે, કુકડી (ભાષામાં જેને ટીટેડી કહે છે તેની) માફક પગ ઉંચા રાખીને શયન કરવું અને તે રીતિએ શ્રમ લાગે ત્યારે ભૂમિ એટલે પગ અસારવાની જગ્યાને પ્રમાઈને પગ લાંબા કરવા. (૨) પાસું બદલવું હોય ત્યારે સંડાસા એટલે સાથળ વગેરે પ્રમાઈને પગ ટૂંકા કરી, સંથારાની પડખું બદલવાની જગ્યા અને બદલવાનું પડખું અને પ્રમાજીને પાસું બદલવું, રાત્રે લઘુનીતિ આદિ માટે જવું પડે, ત્યારે જાગ્યા પછી ( નિદ્રા ન છૂટે તે) શ્વાસ રૂંધીને દ્રવ્યાદિને ઉપચાર કરવો, એટલે કે-દ્રવ્યથી હું કોણ છું ?, ક્ષેત્રથી ક્યાં છું?, કાળથી અત્યારે કયે સમય છે? અને ભાવથી હું કયી અવસ્થામાં છું–મારે શું કરણીય છે? વગરે નિશ્ચય કરે; એ રીતિએ શયનને અને જાગવાને વિધિ કહ્યો. (૩)
હવે કદાચ ઊંઘમાં જ પ્રમાદ એટલે મરણ થાય, તે આત્માને પરિગ્રહને ભાર ન રહે માટે સાકાર (આગાર સહિત) અનશનને વિધિ કહે છે કે
“જે આ નિદ્રામાં મારૂં મરણ થાય, તે ચારેય પ્રકારને આહાર, ઉપાધિ એટલે જીવનમાં ઉપયોગી સઘળે વસ્ત્ર–પાત્રાદિ પરિગ્રહ તથા આ શરીર; એ સર્વને મન, વચન અને કાયાથી સિરાવું છું તાજું છું.(૪) (એ પ્રમાણે સાગાર અનશન કરી મંગલ માટે નિશ્ચય કરે કે
૧-અરિહંતે, ૨-સિદ્ધો, ૩- સાધુ મુનિવરો અને ૪–૨ીકેવલી ભગવતે કહેલ ધર્મએ ચાર તો જ મારે મંગલરૂપ (સર્વ વિનાને હરનારાં) છેઃ (કારણ કે-) ૧-અરિહંતે, ૨-સિદ્ધ ભગવતે, ૩-સાધુ મુનિરાજે અને ૪-કેવલીભાષિત ધર્મ –એ જ ચાર લોકમાં (જગતમાં) ઉત્તમ છે, (માટે) હું ૧–અરિહંતનું, ૨-સિદ્ધ ભગવંતનું, ૩–સાધુ મુનિરાજોનું અને ૪-કેવલી ભગવતે કહેલા ધર્મનું-એમ ચારેયનું શરણ સ્વીકારું છું.”
વળી “ ૧-પ્રાણાતિપાત, ૨- અલિક-જુદું, ૩–ચેરી, ૪-મૈથુન, પ-દ્રવ્યમૂચ્છ–પરિગ્રહ, ૬-ક્રોધ, ૭-માન, ૮-માયા, ૯-લોભ, ૧૦-રાગ, ૧૧-દ્વેષ, ૧૨-કલહ (કચ્છ), ૧૪-અભ્યાખ્યાન (બેટું આળ દેવું તે), ૧૪-ચાડી (સાચી પણ ગુપ્ત વાત કહેવી તે), ૧૫–રતિ–અરતિ (આનંદ-ખેદ), ૧૬-પરનિંદા (પાછળ દુર્ગણ બેલવા), ૧૭–માયાપૂર્વકનું અસત્ય વચન અને ૧૮-મિથ્યાત્વશલ્ય,–આ અઢારે ય (આત્માને અંગે) પાપનાં સ્થાને-કારણે છે. (૧-૨) વળી એ પાપસ્થાનકો દુર્ગતિનાં કારણભૂત છે, ક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિદ્ધભૂત છે, માટે તે સર્વને હું સિરાવું છું–તળું છું. (૩) હું એકલે જ છું, મારૂં જગતમાં કેઈ નથી, હું પણ કેઈને નથી –એ પ્રમાણે મનમાં દીનતા લાવ્યા વિના આત્માને શિખામણ આપે. (૪) વળી (મૂળરૂપે) મારો આત્મા સ્વતંત્ર–એક જ છે, શાશ્વતો છે અને જ્ઞાન, દર્શન ( વગેરે) ગુણોથી ચક્ત છે તે સિવાયના અન્ય જે જે પદાર્થો છે તે મારા નથી, પર છે, સર્વ માત્ર સગરૂપ છે (પણ મારા આત્મારૂપ નથી). (૫) એ સશે કે જે દુઃખનું મૂળ છે, તેનાથી મારા જીવે દુઃખેની પરંપરા જોગવી છે, અર્થાત્ સાગ જ દુઃખનું મૂળ છે, માટે તે અન્ય પદાર્થોના સગરૂપ સંબંધને મન, વચન અને કાયાથી હું તાજું છું. (૬) એ પ્રમાણે આત્મસ્વરૂપને વિચારીને-એમ ભાવના ભાવીને સમ્યક્ત્વનું પચ્ચક્ખાણ ત્રણ વાર કરે; તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org