________________
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્--ગા. ૨૪ ઉપર પ્રમાણે કાષ્ટકેાદ્વારા સવિસ્તાર બધા ભાંગા પ્રસંગાનુસાર દર્શાવ્યા, છતાં મેાટા ભાગે દ્વિવિધ-ત્રિવિધ વગેરે સહુથી પ્રથમ મતાન્યા તે છ ભાંગાથી થતી ષડ્લગી જ ઉપયાગમાં આવે છે–એમ સમજવું.
આ પ્રમાણે સામાન્યથી પાંચ અણુવ્રતાનું વર્ણન ( ભાંગાદ્વારા તથા સામાન્ય વ્યાખ્યાદ્વારા) જણાગ્યું. હવે તે પ્રત્યેકનું ભિન્ન ભિન્ન વિશેષ સ્વરૂપ તેના નામપૂર્વક ક્રમશઃ શ્લોકા વડે મૂલ ગ્રંથથી જ જણાવવામાં આવે છે.
૧૯૪
मूळ - " निरागो द्विन्द्रियादीनां संकल्पाच्चाऽनपेक्षया । હિંસાયા વિત્તિયા સા, સ્વાનુવ્રતમામિમ્ ॥ ૨૧ ॥
**
મૂલાથ – નિરપરાધી બેઇન્દ્રિય વગેરે ત્રસ જીવાને વિના અપેક્ષાએ સકલ્પપૂર્ણાંક હિંસા કરવાના નિષેધ (ત્યાગ), તેને પહેલું અણુવ્રત કહ્યુ છે. ”
ટીકાને ભાવાર્થ-નિરપરાધી એવા એઈન્દ્રિય-તેઈ ન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય-એ ત્રસ જીવેાને હાડકાં, ચામડું, દાંત, માંસ વગેરેને માટે ‘હું મારું’–એવા સકલ્પપૂર્વક કારણુ વિના હિંસા (એટલે તેના દ્રવ્યપ્રાણાના વિયેાગ) કરવાની વિરતિ, અર્થાત્ એ મુજબ હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી, તેને પહેલુ અણુવ્રત કહેવાય છે.
'
અહીં (૧) નિરપરાધી જીવાની હિંસા તજવાની કહી, એટલે સ્પષ્ટ છે કે-અપરાધી જીવાની હિંસા માટે શ્રાવકને પ્રતિબંધ નથી, (૨) એઈન્દ્રિય વગેરે ત્રસ જીવોની હિંસાના ત્યાગ કરવાથી એકેન્દ્રિય (પૃથ્વીકાયાદિ) સ્થાવર જીવાને હણવા નહિ' તેવા નિયમ કરવા માટે શ્રાવક અસમથ છે—એ પણ સ્પષ્ટ થયું, (૩) સંકલ્પપૂર્ણાંક હિંસા કરવી નહિ–એવા નિયમ કરવાથી અનુખ ધ હિંસાના (ઈરાદાપૂર્વક હિંસા કરવાના) ત્યાગ થાય છે, પણ આરંભથી થતી હિંસાને ત્યાગ તેના નિયમમાં આવતેા નથી, આરભજન્ય હિંસામાં શ્રાવકે અને તેટલી માત્ર જયણા સાચવવી એ નિશ્ચિત થયુ..., અને (૪) અપેક્ષા (કારણ ) વિના હિંસા કરવી નહિ–એવા નિયમ કરવાથી, નિરપરાધી છતાં કામ ન આપતાં હોય તેવા ઘેાડા, પાડા, બળદ આદિ તાષાની, નિર’કુશ પશુએની કે અસદાચારી યા પડનાદિમાં પ્રમાદી પુત્રાદિ પરિવારની તાડન, તર્જન વગેરે વધ-ખધનાદિ હિંસા તેઓના હિતને ઉદ્દેશીને કરવી પડે, માટે તેના ત્યાગ શ્રાવકને થઈ શકતા નથી એમ નક્કી થયું. શ્રાવકના પહેલા સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતનુ પચ્ચક્ખાણુ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. थूलगपाणाइवायं समणोवासओ पच्चक्खाइ, से पाणाइवाए दुविहे पण्णते, तंजहा - संकप्पओ आरम्भओ अ, तत्थ समणोवासओ संकप्पओ जावज्जीवाए पञ्चाक्खाइ, णो आरंभओ ' त्ति ॥ ( श्री आवश्यक मूलसूत्र ३७ ) ભાવાર્થ — શ્રાવક સ્થૂલ પાણાતિપાતને ત્યાગ કરે છે, તે પ્રાણાતિપાત એ પ્રકારે છે, એક સકલ્પજન્ય અને બીજો (ગૃહસ્થપણાનાં આરભમય કાર્યાંથી થતા ) આરભજન્ય; આ એમાં શ્રાવક સંકલ્પજન્ય પ્રાણાતિપાતના ત્યાગ કરે છે, આરભજન્યના નહિ.
6
""
અહી. જો કે આરભજન્ય હિંસાના ત્યાગ કરી શકાતા નથી, છતાં શ્રાવકે જીવનનિર્વાહનાં દરેક કાર્યમાં કાળજીપૂર્વક જીવયતના કરવી જોઈએ. જેમ કે પાણીને કાણાં વિનાના જાડા—ઘટ્ટ ગરણાથી ગાળવું; ગાળતાં ખચેલા સખારે, જેમાં જળચરાદિ પારા વગેરે ત્રસ જીવેાના સભવ છે તેની યુક્તિથી રક્ષા કરવી; ઇંધણાં અને ઉપલક્ષણથી છાણાં-કાલસા આદિ ખાળવાની ચીત્તે સૂકી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org