________________ પાઠ 19 મે સમાસ કદ્ધ અને પુરુષ 1. 1. સંસ્કૃતમાં એક મૂળ નામને બીજા નામ સાથે જોડી શકાય, અને આ સમાસને ત્રીજા નામ સાથે કે કોઈ બીજા સમાસ સાથે જોડી શકાય, અથવા તો ઘણું નામ એકએક સાથે જોડી મોટો સમાસ કરી શકાય. આ રીતે ગમે તેટલા શબ્દો સાથે આ સમાસ થાય. જે રીતે અથવા તો જે અર્થને ઉદ્દેશી આ સમાસ કરાય છે, તે પ્રમાણે સમાસના અનેક વર્ગ થઈ શકે. ધ વર્ગના સમાસમાંના શબ્દો જો તે એકઠા ન જોડાય તે જ નામના અવ્યયથી જોડાય. જેમકે. રામ कृष्णश्च= रामकृष्णौ; रामश्च लक्ष्मणश्च भरतश्च शत्रुघ्नश्च-रामलक्ष्मणમાતરાઝુદના.. 2. (અ) જ્યારે સમાસ બે જ નામને હેય અને દરેક નામ એકવચનનું હોય તો આખો સમાસ દ્વિવચનમાં આવે, અને તેથી * એટલે સત્તવાચક નામ, વિશેષણ અથવા અવ્યય. 4 ગમે તે નામને ગમે તે બીજ નામની સાથે ગમે તે અર્થમાં સમાસ થઈ શકે એમ કદી ધારવું નહીં. સંસ્કૃત ભાષાની વાક્યરચના પ્રમાણે અમુક સમાસ જ સશાસ્ત્ર છે અને બીજાઓ નથી. આ વાત ન જાણનારા માણસો ગમે તેવા સમાસ કરે છે, પણ તે ખરા સંસ્કૃત સમાસ નથી. સંસ્કૃત વૈયાકરણોએ એ વિષે ઘણા બારીક નિયમો આપ્યા છે અને તેમાંના કેટલાક આ ગ્રંથમાં સમજાવ્યા છે. અભ્યાસને માટે ઉત્તમ ગ્રંથકારોએ જે સમાસ વાપર્યા છે તે વાપરવા એ જ ઉત્તમ રસ્તો છે.