________________ [9] પ્રભુ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા. સાધકેના આત્મભાવે પરમાત્મા સાથેના અનુસંધાન, ભક્તિ અને સમર્પણના જવાબ તરીકે પ્રભુ પ્રતિષ્ઠા બાદ જિનમૂર્તિઓ અને મંદિરોમાં અમી વર્ષા - જલવર્ષો નજરે નિહાળવા મળી. જિનાગમથી તો સાધક પિતાને અંતરમાં જ્ઞાનતેજ મેળવી શકે છે અને તે તેજથી પિતાની જીવનશુદ્ધિને માર્ગ મેળવી દેહાતીત ભાવ મેળવવા ઉત્સાહી બને છે. તે અંગે જ્ઞાન શિબિરનું આયોજન થયું. પ્રવચનમાં પણ અંતરમુખ દષ્ટિ કેળવવા જીવનમાં શલ- સમતા - સંતેષ - સાદાઈ અને સરળતા કેળવવા પ્રચંડ પ્રેરણા થતી રહી. જે પ્રેરણા શ્રીસંઘના 9 વર્ષના બાળકથી લઈ 82 વર્ષના 800 બુઝર્ગોએ ઝીલી લીધી અને 44 દિવસમાં 36 દિવસના 1-2-3-4-5-6-7-8 એમ ક્રમિક ઉપવાસની ઘોર સાધના પ્રારંભી અને તે બધા તપસ્વીઓએ અદમ્ય ઉત્સાહ અપ્રમત્તભાવ - પ્રસન્નચિત્ત અને દેહાતીત અવસ્થા મેળવવા માટેની આત્મદષ્ટિને માધ્યમમાં રાખી નિર્વિન તે સાધનાને પાર પામ્યા. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ 2515 વર્ષ સુધીના પ્રાપ્ત થતા જૈન ઈતિહાસના પ્રાચીન ગ્રન્થોમાં કયાંય પણ 800 જેટલી વિશાળ સંખ્યામાં 44-44 દિવસના મહાતપની આરાધના કર્યાને ઉલલેખ મળતું નથી. અરેઆ પંચમ કાળમાં ન મળે બહુશ્રુત પૂજ્ય, ન મળે યુગપ્રધાન પુરૂષ, ન મળે પૂર્વધર પુરૂષે જે કંઈ પંચમકાળના સ્વનામ ધન્ય અમારા શાસનપ્રભાવક પૂજ્ય પુરૂષના શાસનકાળ